‘ગદ્દર’ના ડાયરેક્ટર અનિલ શર્મા સામે જામનગરના ઉદ્યોગપતિએ નોંધાવી 30 લાખની ચેક પરતની ફરિયાદ; અદાલતે હાજર થવાનો હુકમ કર્યો
જામનગર શહેરમાંથી હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલા એક વધુ મોટા નામ સામે કાનૂની કાર્યવાહીનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોલિવૂડને ‘ગદ્દર’ અને ‘હકુમત’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર જાણીતા ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક અનિલ શર્મા સામે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલે રૂ. 30 લાખની હાથઉછીની રકમના ચેક પરત ફર્યાની ફરિયાદ અદાલતમાં નોંધાવી છે. આ કેસમાં જામનગરની અદાલતે…