પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દેશભક્તિની અનોખી ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાનો भारतीय સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો. આ પરાક્રમભર્યા પગલાંની ઉજવણી અને ભારતીય લશ્કરના શૌર્યને શ્રદ્ધાંજલિ આપવા હારીજ શહેરના ચાર રસ્તા પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લશ્કર જવાનોના બિરુદગાનને માન આપવો, દેશપ્રેમ જાગૃત કરવો અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. યાત્રામાં શહેરના અનેક હોદેદારો, હોશિયાર યુવાનો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ યુનિટના સભ્યો તથા મુસ્લિમ સમુદાય સહિત દરેક વર્ગના દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યાત્રા દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ દ્વારા દેશભક્તિથી તરબતર ગીતો વગાડવામાં આવ્યા હતા, જેમાં “ભારત માતા કી જય”, “વંદે માતરમ” જેવા નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો તેમજ વેદાંત કોમ્પ્લેક્સ અને કે.પી. હાઈસ્કૂલ રોડથી પસાર થઈ હતી. યાત્રા અંતે જૂની મામલતદાર ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું વિસર્જન કરાયું હતું.
આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી જિગરભાઈ મેહતા, શ્રી નિલેશભાઈ રાજગોર, શ્રી મુકેેશજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોર તથા મહિલા આગેવાન શ્રીમતી સોનલબેન ઠાકોર સહિત અનેક ગણમાન્ય મહેમાનો અને નાગરિકોએ તિરંગો હાથમાં લઇ હર્ષોલ્લાસપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો.
યાત્રામાં વિવિધ બેનરો દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યને દર્શાવવામાં આવ્યું હતું. “આંતકવાદનો નાશ, શાંતિનો પ્રકાશ”, “ભારત માવીજય” જેવા નારાઓ સાથે યાત્રા જનમનમાં દેશભક્તિના સ્નેહ અને એકતા જગાવી ગઈ.
આવા આયોજન દ્વારા હારીજ શહેરે દેશને એકતા, શૌર્ય અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. દેશભક્તિના રંગમાં રંગાયેલા આ અવસરે હારીજ નાગરિકોએ સાબિત કર્યું કે જ્યારે વાત દેશની હોય, ત્યારે દરેક નાગરિક એકસાથે ઊભા રહી શકે છે – માધ્યમ હોય તો બસ તિરંગાની છાંયાં અને ભારત માતા પર અઢળક પ્રેમ.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
હારીજના આંબેડકર વર્ષમાં છેલ્લા 1 વર્ષ થી પાણીની પારાયણ.. મહિલાઓ ત્રસ્ત..
પાણી ન મળતા સ્વખર્ચે વેચાતું પાણી લેવાની નોબત.. અગાઉ પણ પાલિકા માં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હતો.
હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી નહીં મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા… આંબેડકર વાસમાં પાણી નહિ મળતા નગરપાલિકામાં મચાવ્યો હોબાળો.
મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સતા અધિકારીઓની ગેર હાજરી જોવા મળી.. ત્યારે મહિલાઓને લોલીપોપ આપી સોમવાર થી રેગ્યુલર પાણી આવી જશે તેવું નગરપાલિકાના કર્મચારી દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવશે તેઓ દીલાસો આપી પરત મોકલી દેવામાં આવ્યા હતા..
પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અને ચીફ ઓફિસરની ચેમ્બરો પણ ખાલી જોવા મળી..
છેલ્લા 1 વર્ષ થી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારુ કોઈ ન જોવા મળ્યું..
શહેરના મિનરલ વોટર પ્લાન્ટ કોના કોન્ટ્રાક્ટ થી ચાલતા વોટર પ્લાન્ટમાં રોજનું હજારો રૂપિયાનું પાણીનું વેચાણ થાય છે ત્યારે શહેરના આંબેડકર નગર ની મહિલાઓની ખારું પાણી પણ મળતું નથી વોટર પ્લાન્ટ ને કયું કનેક્શન છે તેની પણ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે… કે કોઈ મિલીભગતથી મિનરલ પ્લાન્ટમાં પાણીનું વેચાણ થાય છે તેની લોક ચર્ચા ઉઠવા પામી છે.
મિનરલ વોટર વર્કસ નું વેચાણ થી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી ત્યારે વોટર વર્કસ ના નળ કનેક્શન ની તપાસ થવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
વિસનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક દેવો ભવઃ,જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકોના સર્વગ્રાહી સશકિતકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આંતકવાદને જડમુળથી નાબૂદ કરવામાં આવશે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો થકી @2047 ને ચરિતાર્થ કરી.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. તામ્રનગરી એવી વિસનગરના વિકાસ માટે સરકાર દ્રારા હકારાત્મક વલણ રાખી અહીંયા વિકાસની વણથંભી વિકાસ યાત્રા આદરી છે.
સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા : સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે. રૂપિયા ૩૦ કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, રૂપિયા ૦૬.૭૦ કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ ૦૪.૪૭ કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું
મહેસાણા ૧૯ મે ૨૦૨૫, સોમવાર
અવિરત વિકાસના પંથે તામ્રનગરી વિસનગરના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને અવિરત આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્રણ દિવસમાં ગુજરાતમાં ૨૮૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થયું છે. પ્રજાની સુખાકારી માટે આવા વિકાસકામો થતા હોય ત્યારે પ્રજાએ પણ તેમાં સહભાગી બનવું જોઈએ. પેહલા લોકો સરકાર પાસે વિકાસનું કામ માગતા સંકોચ અનુભવતા હતા. આજે કરોડ રૂપિયાનું કામ માગવામાં આવે છે. અને એ કામ થાય છે, સરકાર અને પ્રજા વચ્ચે આવું વિશ્વાસ સંપાદનનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આંતકવાદને જડમુળથી નાબૂદ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ઇન્ડિયન આર્મીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિક દેવો ભવઃ, જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકના સર્વગ્રાહી સશકિતકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ તંગી ન રહે એ પ્રકારનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે.
વિકાસકામો અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ૧૦૨૦ કરોડના “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રૉજેક્ટને પ્રોત્સાહન આપ્યુ છે. વિસનગરમાં પણ ૨૧૦ કરોડના ખર્ચે બાયપાસ રોડનું નિર્માણ થવાનું છે. ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પહેલાના સમયમાં ગુજરાતમાં ૧૩૭૫ મેડિકલ સીટો હતી, હાલમાં દર વર્ષે ૭૦૦૦ ડોક્ટર્સ તૈયાર થાય છે. ગામડામાં આરોગ્યની સુખાકારી માટે તાલુકા લેવલે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અપગ્રેડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટીબી નિર્મૂલન પર ખાસ ભાર મૂક્યો છે. ટીબીના દર્દીઓ માટે નિક્ષય યોજના શરૂ કરી ટીબીના દર્દીઓને સારવાર આપવાનું, પોષણ કીટ આપવાનું સંવેદનાત્મક દાયિત્વ નિભાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે આપણે દેશની આઝાદીમાં યોગદાન આપી શક્યા નથી, તો વર્ષ ૨૦૪૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીએ આપેલા નવ સંકલ્પો જળસંચય, ગ્રીન કવર, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી અપનાવવી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, યોગ રમતને જીવનમાં સ્થાન આપવું અને ગરીબોની મદદ કરવા અનુરોધ કર્યો હતો.
અવિરત વિકાસના પંથે પગ માંડતી તામ્રનગરી વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ વિસનગર, તાલુકા પંચાયત તથા વિસનગર નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સહિત રૂપિયા ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા ૪૨૩ કરોડથી વધુના ૭૬ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૭૨ કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ જણાવ્યું હતું કે, તામ્રની આગવી ઓળખ ધરાવતા વિસનગર વણથંભી વિકાસયાત્રાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિસનગરના નાગરિકોને પીવાનું પાણી, રોડ રસ્તા, શિક્ષણ, લાઈબ્રેરી, સેમિનાર હોલ, કોમ્યુનિટી હોલ, શાળાના ઓરડા, ઓવરબ્રિજ જેવી માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્રારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તામ્રનગરી એવી વિસનગરના વિકાસ માટે સરકાર દ્રારા હકારાત્મક વલણ રાખી અહીંયા વિકાસની વણથંભી વિકાસ યાત્રા આદરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાષ્ટ્ર સ્વાભિમાન, વિકાસ અને ગૌરવ સાથે વિરાસતની યાત્રામાં પહેલ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આજે હેરિટેજ તરીકે ઓળખાતા વિસનગરને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ની સોગાત મળી છે. જેના થકી વિસનગરના નાગરિકોના જીવનધોરણમા વધારો થશે.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીની પરવાહ કરી વિસનગર ખાતે વૈદિક પરંપરા સાથે અવિરત વિકાસની યાત્રા આરંભી છે. આજે દેશ સહિત ગ્રામીણ વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે. ગામડાના લોકોને પાયાની સુવિધા મળી રહે તેમજ ગ્રામીણ વિકાસને વેગવંતો બનાવવા માટે સરકારશ્રી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે. સહકારથી સમૃદ્ધિ થકી ગામડાનાં ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હરહંમેશ તત્પર રહે છે.
નોંધનીય છે કે, નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે રૂપિયા 30 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડીંગ, વિસનગર શહેરના નાગરિકોની સુખાકારી માટે રૂપિયા 06.70 કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડીંગ તેમજ વિસનગર તાલુકાના ગ્રામ્યજનોનની સુખાકારી માટે રૂપિયા 04.47 કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ- આરોગ્ય-પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સહિત વિવિધ વિકાસ કામોના ભૂમિપૂજન: ખાતમુર્હુત: લોકાર્પણ અંતર્ગત વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા 18.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 10.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને રાજ્ય દ્વારા રૂપિયા 407 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અવિરત વિકાસના પંથે તામ્રનગરી વિસનગર ખાતેના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ,સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી,ધારાસભ્ય સર્વેશ્રી મુકેશભાઈ પટેલ, સી.જે.ચાવડા, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, કે. કે. પટેલ,દૂધ સાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન,નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, અગ્રણી રજનીભાઈ પટેલ, સુશ્રી વર્ષાબેન દોશી, મહેન્દ્ર પટેલ, ગિરીશભાઈ રાજગોર, પ્રાંત અધિકારી વિસનગર, વિસનગર તાલુકા અને પાલિકાના, પ્રમુખશ્રીઓ,પદાધિકારીઓ/અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિસનગર સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
જામનગર તા.૧૯ મે, જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. લોકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને તે અનુસંધાને જરૂરી પગલા લેવા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં અગાઉની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો મુજબ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરી જેમાં સાત રસ્તા સર્કલથી નાગનાથ જંકશન સુધીના રસ્તા પર સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ધુંવાવ પાસે તથા સમર્પણ સર્કલથી નાઘેડી જંક્શન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોય ભૂગર્ભ ગટર યોજના શાખા દ્વારા જરૂરી સાઈનેજીસ તથા ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવેલ છે.જામનગર જીલ્લામાં એપીએમસી ખાતે આવતા માલવાહક વાહનોમાં રેડીયમ અને રીફ્લેક્ટર લગાવવા માટેની તથા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
બેઠકમાં કલેકટરશ્રી કેતન ઠક્કરે માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ, બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો, ઓવર સ્પીડિંગના વાહનોને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપીને અકસ્માત થવાનો ભય હોય તેવા સ્થળોએ અકસ્માત ટાળવા અંગે જરૂરી પગલાઓ લેવા જણાવ્યું હતું.
જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે. અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું છે. છેલ્લા થોડા દિવસોથી જે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે. જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકીટોકી, સીસીટીવી, લાઉટસ્પીકર, વોટસઅપ ગ્રુપ સહીતની સવલતો ગામમાં ઊભી કરવામાં આવી છે.
વીઓ 1
જામનગર જિલ્લાના આવેલ ફલ્લા ગામ પહેલેથી પોતાની ઓળખ ધરાવે છે. ફલ્લા ગ્રામપંચાયત નું સંચાલન યુવાનો કરી રહ્યા છે. અને યુવાનો આજની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામને સમાર્ટ ગામ બનાવ્યું છે. ફલ્લા ગામમાં 2018 થી સમગ્ર ગામ સંપૂર્ણ પણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તેમજ ફલ્લા ગામના છેવાડાના લોકોને ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવતી સૂચના મળી રહે તે માટે આખા ગામમાં માઇક સિસ્ટમ લગાવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુચનાઓ એથી સાથે સંપૂર્ણ ગ્રામજનોને મળી જાય છે. કોરોના વાવાઝોડા ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને લોકોને તમામ પ્રકારની સૂચના ઓની એપલે કરવામાં આવી હતી.
વીઓ 2
ફલ્લામાં અંદાજે 6 હજારથી વધુની વસ્તી છે. જે જામનગરથી નજીક આવેલુ છે. ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરીયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના ત્રણ મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે. જેના ધ્યાને લઈને ગામના તલાટી રીયાંશીબેન ભોગાયતા અને માજી સરપંચ લલીતાબેન કમલેશ ધમાસાણિયા બંન્ને સાથે મળીને યુધ્ધ જેવી સ્થિતી ધ્યાને રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે. જેમાં ગામમાં 5 વર્ષથી 20 સીસીસીટી કાર્યરત છે. ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતા હવેથી 6 વોકીટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદે આત્મનિર્ભર બન્યુ છે.
વીઓ 3
જો યુધ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં 3 સાયરન લગાવામાં આવ્યા છે. જો બ્લેકઆઉટ વખતે વીજળી ગુલ થાય તો વોકીટોકીથી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે. ફલ્લામાં ગામમાં સેવાભાવિ સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે 1 લાખના ખર્ચથી વોકીટોકીનો સેટ અને સાયરન ઈન્વેટર સાથે તેમજ લાઉડ સ્પીકરનો વધારો કર્યો છે. તમામ વોકીટોકી સુભાષ ધમસાણિયાની નેતૃત્વમાં છ સ્વયંસેવકો અલગ-અલગ વિસ્તારમાં સેવા બજાવશે. સાયરન અને લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદ ભરવાડને આપવામાં આવી છે. ફલ્લા ગામની જેમ અન્ય સરહદી વિસ્તારના ગામોએ પણ આ પ્રકારે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી યુદ્ધી જેવી સ્થિતિમાં એક બીજાને મદદરૂપ થવા પ્રયાસ કરવો જોઇએ.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે પલ્લવ બ્રિજના લોકાર્પણ સહિત અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારાં કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હું પોતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 40 વર્ષ રહ્યો છું. આજે આવડો મોટો પલ્લવ બ્રિજ જોઈને હૃદયથી આનંદ થાય છે. એક જ કાર્યક્રમમાં 1550થી વધુનાં વિકાસ કાર્યોની ભેટ લોકોને આજે મળી રહી છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા તથા મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવું છું, એવું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ‘એક નાગરિક એક વૃક્ષ’નો સંકલ્પ લઈએ તો અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતાં ઓછી થઈ જાય. અમદાવાદના 15થી 25 વર્ષના યુવાનો જો વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષ વાવીને ઉછેરે તો પોતાની માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપરાંત તેઓ ધરતીમાતાનું ઋણ પણ ચૂકવી શકે છે. દરેક સોસાયટીઓમાં 15થી 50 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાવો જોઈએ. એએમસીએ એક વર્ષમાં 40 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, આ સંકલ્પમાં નાગરિકો પણ જોડાય, એવી અપીલ તેમણે કરી હતી. પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાને બિરદાવતાં કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારથી દેશની જનતાને કરેલો વાયદો પૂરો કર્યો અને 9 જેટલા આતંકી અડ્ડાઓનો ખાતમો કરવામાં સફળતા મેળવી છે. અગાઉ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પીઓકે સુધી સીમિત હતા, પરંતુ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની સેનાએ પાકિસ્તાનની સરહદની 100 કિમી અંદર જઈને આતંકીઓનો સફાયો કર્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આ અંગે વધુ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના સફાયા ઉપરાંત પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવાનું પણ મોટું કામ થયું. પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓ આવેલા છે અને એ જ આતંકવાદને ઉછેરે છે, એ બાબત આજે વિશ્વ સમક્ષ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય સેનાઓના પરાક્રમ, સજ્જતા અને મારક ક્ષમતા ઉપરાંત વડાપ્રધાનશ્રીની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિને કારણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે. આજે વિશ્વના યુવાનો ભારત દ્વારા ભારતમાં જ બનેલી બ્રહ્મોસ મિસાઇલ અંગે જાણવા ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ બાબતો સ્પષ્ટ કરી છે, સિંધુનું પાણી અને લોહી એક સાથે નહીં વહે, ટ્રેડ અને ટેટરિઝમ એક સાથે ન થઈ શકે તથા ભારત હવે માત્ર પીઓકે અને આતંકવાદના ખાતમા અંગે જ વાતચીત કરશે. વડાપ્રધાનની રાજકીય દૃઢ ઇચ્છાશક્તિ અને દેશની સેનાઓની વીરતા અને સજ્જતા, ગુપ્ત એજન્સીઓની સટિક જાણકારીના વખાણ આજે દેશની 140 કરોડ જનતા કરી રહી છે. ગુજરાત માટે વધુ ગૌરવની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે.
ઓપરેશન સિંદૂર અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સુરક્ષા અને સીમાઓના રક્ષણ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાશે ત્યારે ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરોમાં લખાશે. ઓપરેશન સિંદુર એ દેશની માતૃશક્તિને મળેલું સૌથી મોટું સન્માન છે. વડાપ્રધાનશ્રીએ છેલ્લાં 11 વર્ષમાં આર્થિક ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત પાયો નાખ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા 1000થી વધુ લાભાર્થીઓને રોજગારીનું સાધન આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈના નેતૃત્વમાં વિકાસને સતત પ્રાધાન્ય અપાયું છે. આજનો અમદાવાદ મહાનગરનો વિકાસ ઉત્સવ એ જ દિશામાં વધુ એક કદમ છે. આજે અમદાવાદના નગરજનોને રૂ. ૧૫૯૩ કરોડના વિવિધ વિકાસનાં કામોની ભેટ મળી છે, જે નાનામાં નાના માનવી, શહેર અને નગરને વિકાસની મુખ્યધારામાં લાવવાની નેમ સાકાર કરી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, તેના પાયા પર આજે અમદાવાદના નગરજનોને આ ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની સત્તા સાંભળી એ પહેલા ગુજરાતની સ્થિતિ કેવી હતી એનાથી આપણે સૌ કોઈ વાફેક છીએ. ગુજરાતમાં વીજળીની વ્યવસ્થા નહોતી, ખેડૂતો વાળું સમયે લાઈટ મળે એવી વિનંતી કરતા હતા, એ પરિસ્થતિમાંથી ગુજરાતને નરેન્દ્રભાઈ મોદી બહાર લાવ્યા છે. આજે ગુજરાતમાં ચોવીસ કલાક વીજળીની સુવિધા મળી રહી છે. ગુજરાતભરમાં રોડનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે અને નર્મદાનું પાણી આજે છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વાત કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પોતાની પાકી છત હોય એ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં ૧૩ લાખથી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ બનાવવામાં આવ્યાં છે. અમિતભાઈના હસ્તે અમદાવાદમાં વધુ ૩૫૦૧ આવાસો ફાળવવામાં આવી રહ્યા છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, પોતાની સ્કીલ અને મહેનતના બળે લોકો રોજગારી મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ હેઠળ મશીનરી અને ટૂલકિટ વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૭૦૦ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યાં છે. નિમણૂક મેળવનારા યુવાનોને મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવાસ, પરિવહન, આત્મનિર્ભરતા માટે રોજગારી સહિતના વિકાસ કામોનો આ અવસર અમદાવાદ મહાનગરના નાગરિકો માટે અર્નિંગ વેલ – લિવિંગ વેલ ચરિતાર્થ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણપ્રિય, સ્વચ્છ, સુવિધાયુક્ત શહેરો બનાવવા વડાપ્રધાનના સ્વચ્છતા, કેચ ધી રેઈન, એક પેડ માં કે નામ જેવા અભિયાનોને આગળ વધારવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આતંકવાદ, નક્સલવાદ અને દેશવિરોધી તત્વોને નાબૂદ કરવામાં ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું નેતૃત્વ સુરક્ષા દળોનું મનોબળ સતત વધારી રહ્યું છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ દેશની સીમા પાર અને સીમાની અંદર આતંકવાદને જડબાતોડ જવાબ આપીને નાગરિકોની શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાના સેનાના આ શોર્યસભર પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને તિરંગાની શાન પણ વધી છે. અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આજે અમદાવાદના નગરજનોને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોની ભેટ મળી છે, એ સૌ નગરજનો માટે ગર્વની વાત છે. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણુંક પામેલા ૭૦૦થી વધુ જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ગ્રામોદ્યોગ યોજના હેઠળ વિવિધ કારીગરોને ઈલેક્ટ્રિક પાવર લૂમ્સ, સિલાઈ મશીન, અગરબત્તી મશીનનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના સર્વ ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ખાદી અને ગ્રામોદ્યોગ ચેરમેન મનોજકુમાર, ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૯૩ કરોડના ખર્ચે કુલ ૯૪ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું કેન્દ્રીય ગૃહ મંત્રીએ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે. લોકાર્પિત થયેલાં વિકાસકામો જોઈએ તો, રૂ. ૩૯૪ કરોડના ખર્ચે ૩૪ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને આવાસ ડ્રોનો સમાવેશ થાય છે. રૂપિયા ૧૭૦ કરોડના ખર્ચે હાઉસિંગ પ્રોજેક્ટ, રૂપિયા ૧૧૬ કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા ૮૬ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂપિયા ૧૭ કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, શ્રમિક સુવિધા કેન્દ્ર અને આંગણવાડી પ્રોજેક્ટ તેમજ રૂ. ૫ કરોડના ખર્ચે ગાર્ડન અને કળાઓ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રૂ. ૧૧૯ કરોડના ખર્ચે ૬૦ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. જેમાં રૂ. ૫૭૯ કરોડના ખર્ચે બ્રિજ પ્રોજેક્ટ, રૂપિયા ૩૫૬ કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. ૨૨૨ કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ, શ્રમ સુવિધા કેન્દ્ર, અમદાવાદ હાટ, ફૂડપાર્ક, સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ, મહિલા જીમ્નેશિયમ અને અર્બન હેલ્થ સેન્ટર પ્રોજેક્ટ તેમજ રૂ. ૪૨ કરોડના ખર્ચે ગાર્ડન અને તળાવ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના કનસુમરા ગામથી ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી જામનગર એલ.સી.બી. દ્વારા પકડી પડાઈ છે.
એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળાને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા રહે. ત્રણેય જામનગર વાળાઓ (૪) કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા (૫) ગજેન્દ્રસિંહ જાડેજા રહે.જામનગર વાળા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરવામાં આવી જે જગ્યાએથી (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડી મજકુરના કબ્જામા સ્પીરીટ,ફલેવરકલર મીશ્રણ કરી,ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ,બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી, મોબાઇલ ફોન, ફોર વ્હીલકાર વિગેરે કબ્જે કરી આ ઇસમો વિરૂધ્ધ, અરજણભાઇ કોડીયાતર નાઓએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઇ સી.એમ.કાંટેલીયા નાઓએ મજકુર ઇસમો તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ રેડ દરમ્યાન (૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦/- (૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- (૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦/ (૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦/- (૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦/ (૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- (૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦/-
(૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦/ (૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦/ (૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કી, ના સ્ટીકર નંગ- ૧૦૯૨૦ (૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦/- (૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦ (૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦ (૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦ (૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫ (૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦ કુલ મુદામાલ કિ.રૂ ૮,૨૩,૦૦૦/- નો કબ્જે કર્યો છે જે વિશે જિલ્લા અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા માહિતી આપવામાં આવી હતી.