વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતીની ઉજવણીનુ કરાયું હતું આયોજન.

દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ!

સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામ ના 205જન્મજ્યંતી ની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ દ્વારા કરાયી હતી વઢવાણ દલપત બાગમાં સૌ પ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા હતા.

આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય ઇતિહાસ સ્થળોનું મ્યુઝિમ બનાવી વઢવાણને પ્રવાસ પ્રયટક જાહેર કરવાની માંગ કરાયી હતી.


વઢવાણ માં તા.૨૧જાન્યુઆરીને ૧૮૨૦માં દલપતરામનો જન્મ થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી હતી.

વિદ્યાવૃદ્ધિ, સમાજસુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું. એ જીવનકાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો.


ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે. ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં.

નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ.હતુ અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપતશૈલીની અસર રહી છે. દલપતરામ જેમ સંસ્કારશિક્ષક હતા તેમ કવિતાશિક્ષક પણ હતા.

અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે.

આમ, અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે ત્યારે દલપતરામ ની ૨૦૫મી જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરાયી હતી.

આ તકે અમિતભાઇ કંસારા, અસવાર દશરથસિંહ, રાજુદાન ગઢવી, દલવાડી ઠાકરશીભાઈ ભગવતીભાઈ, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


આ તકે વઢવાણ દલપતરામ બાગ માં સૌ પ્રથમવાર નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા આ પ્રંસગે વઢવાણ માં ઇતિહાસિક વારસા માટે મ્યુઝિમ બનાવા ની માંગ કરાયી હતી. આ ઉપરાંત દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય બાગમાં કરવા લાગણી વ્યક્ત કરાયી હતી જયારે વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

સુરત શહેરના પલસાણા પોલીસ સ્ટેશન હદમાં તરાજ ગામ થી સામરોદ જતા રોડ પાસે એક ઘરની પાસે પોલીસે કેમિકલ કાઢતા રંગે હાથ ત્રણ લોકોને કરોડોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ સુરત શહેર ગ્રામ્ય વિસ્તાર પલસાણા પોલીસ સ્ટેશન ની હદમાં ગુપ્ત રહે પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગીયા તેમજ હેડ કોન્સ્ટેબલ મેરૂભાઈ રમેશભાઈ તેમજ નિલેશભાઈ જગદીશભાઈ ને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે તરાજા ગામ સીમમાં સામરોદ જતા રોડ પાસે આસિફ શેખના ઘર પાસે ટેન્કર ઉભેલ છે અને તેમાંથી પાઇપ વડે બેરલમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે જ્વેલન્સીલ પ્રવાહી નો જથ્થો કાઢે છે

બાતમીના આધારે પોલીસે રેડ નાખતા આરોપી અને પકડી પાડેલ હોય અને કેમિકલ પ્રવાહીનો જથ્થો કુલ ,39267 કિલોગ્રામ જેની કુલ કિંમત. 72.97.785ટેન્કર ટોટલ બે જેની કિંમત 50.00.000 પ્લાસ્ટિકના બેરલ નંગ 50 જેની કુલ કિંમત ₹25,000 તેમજ પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ એક જેની કિંમત 00 તેમજ ગરણી એક નંગ જેની કિંમત 00 બંને ટેન્કર માંથી મળી આવેલ બિલ્ટી નંગ 2 જેની કિંમત 00 કુલ મળીને મૂળ કિંમત1,23,22,785 મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડેલ હોય જેના નામ આશીફ રસીદ શેખ ઉંમર વર્ષ પાંત્રીસ રહે તરાજ ગામ તેમજ ટેન્કર નંબરMH_46,BB,2486 ડ્રાઇવર સંજય કુમાર અનિલ કુમાર બિંદ રહે જોનપુર ઉત્તર પ્રદેશ તેમજ ટેન્કર નંબર 2 MH_46_BB2485 ના ડ્રાઇવર મનીલાલ પંચરામ બિન્દ રહે ઉત્તર પ્રદેશ જોનપુર ના ઓને ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ પલસાણા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે

રાધનપુર: સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે….

રાધનપુરના સાંથલી ગામના રહેવાશી ભાવાભાઇ ઠાકોર આવ્યા હતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલ…

હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણુક..

પેશન્ટનને પેટની તકલીફ હોય સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ આવ્યા હતાં…

સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી પેસન્ટ હોસ્પિટલમા બેસી રહેવા મજબુર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી…

રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક આવી સામે..

રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા પેસન્ટની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલ ની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમર્જન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલ ની તાનાશાહી જોતા પેશન્ટ ની શુ હાલત બને જે સવાલો ઉભા થઈ રહ્યા છે…!!

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો પેશન્ટની દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્ષ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો.


ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર…

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે

ઉતરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

ત્યારે આ આહવાનને ધ્યાને લઇ તાલાલા, મેંદરડા અને વિસાવદરમાં વહેલી સવારથી યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઉતસાહ સાથે ઇકોઝોન હટાવો ના નારા સાથે પતંગો ચગાવતા નજરે પડી રહ્યા છે

આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ બાકાત રહ્યા નથી, નાના ભૂલકાઓ ઇકોઝોન નબુદના બેનરો સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો નાનો બાળક ભાજપ સરકારને ઇકોઝોન નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે

પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઇ બોરખતરીયા,હરેશભાઈ સાવલિયા,દિનેશભાઈ પટેલ ,વિજય હીરપરા તેમજ અન્ય આગેવાનો આ આયોજનને સફળ બનાવવા કામે લાગી ગયા છે

આ પ્રોગ્રામ બાબતની પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે જણાવ્યું કે આ પ્રોગ્રામથી અમે સરકારને ઇકોઝોન સદંતર નાબૂદ કરવા સપષ્ટ સંદેશ આપીએ છે

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે


દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

આ ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

આ કડક કાર્યવાહી પાછળના કારણો:

  • રાષ્ટ્રીય સુરક્ષા: પીરોટન ટાપુ પાસે 5 SPM આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે.
  • સમુદ્રી જીવસૃષ્ટિ: પીરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે. અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું.
  • લોકોની અવરજવર: અતિક્રમણને કારણે લોકોની અવરજવર વધી જતાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
  • NDPS સંબંધી પ્રવૃત્તિઓ: આ સ્થળ NDPS સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું.
  • સમુદ્રી વનસ્પતિને નુકસાન: અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું.
  • મહત્વના ઉદ્યોગો માટે ખતરો: જીએસએફસી, રિલાયન્સ, નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવરજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું.

આ કાર્યવાહી દ્વારા પીરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીને સણસણતો જવાબ આપતા ગીરીશ કોટેચા

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી દ્રારા લખાયેલ વશિયતનામથી મહેશગીરીની મુશ્કેલીમાં વધારો થયો છે.

સતત વિવાદમાં રહેલ મહેશગીરી સામે સવાલ ગિરીશ કોટેચાએ સવાલ ઉઠાવતા કહ્યું કે વ્યાસભુવન એટલે કે મારા ઘરની જગ્યા અંગે તારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આવી શકે છે.

ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે દાવેદાર બનનાર અને અત્યાર સુધી ભૂગર્ભમાં રહેનાર શિવગીરીનાં રજૂ થયેલ વસિયતનામાંથી જૂનાગઢનાં ભૂતનાથ મંદિરની ગાદી પણ હાલ વિવાદમાં આવી છે.

સૌપ્રથમ ધનસુખ ગીરીબાપુ ના દેહાંત પછી એક પછી એક વિવાદો વક્રી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ ભીડભંજન મહાદેવ મંદિર ની જગ્યા નો વિવાદથી શરુઆત થયેલ હતી અને ત્યાર બાદ અંબાજી મંદિર અને દત શિખર પર આવેલ ગુરુ દત્તાત્રેયની જગ્યા સરકાર દ્વારા હસ્તગત થયેલ અને આ વિવાદમાં અલ્પવિરામ મૂકવામાં આવ્યું હતું ત્યાં ભવનાથ મંદિરનો વિવાદ અને ભાજપના અમિત શાહ સહિત અનેક લોકો પર આક્ષેપ કરતો પત્ર મહેશગીરી દ્વારા રજૂ કરતાં વિવાદ વકર્યો હતો તેમાં પણ અધૂરામાં પૂરું આ વિવાદમાં ગિરીશ કોટેચા દ્વારા મિડીયા સમક્ષ પ્રતિક્રિયા અપાતા સાધુ સંતોના વિવાદમાં રાજકિય પ્રવેશ થયો અને એક પછી એક સામ સામે શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા..

તાજેતરમાં ગિરીશ કોટેચા દ્વારા રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મહેશગીર અને ભૂતનાથ મહાદેવ મંદીરની જગ્યાને લઈને નવો વણાંક અપાયો છે ત્યારે મહેશગીરી દ્વારા એક વિડ્યો વાયરલ કરવામાં આવ્યો હતો.

જોકે મહેશગીરી દ્વારા વિડ્યો ધર્મ અને સત્યની લડાઈ હોવાનું જણાવ્યું હતું અને ખાસ કરીને ધર્મની જગ્યા પચવા માટેના આક્ષેપો ગિરીશ કોટેચા પર કર્યા હતા વિશેષમાં ગિરીશ કોટેચા માનસિક સ્વસ્થ ન હોય તેવા શાબ્દિક પ્રહારો કર્યા છે જેને લઇને ગિરીશ કોટેચા પણ ભડક્યા હતા અને મહેશગિરીને ચેલેન્જ આપી છે કે તારો સમય તું કે એ તારીખ ચાલો દ્રોણેશ્વર જાહેરમાં ચર્ચા કરીએ. તેમજ શ્રી શ્રી રવિશંકર સાથેના મહેશગીરીનાં સબંધોને લઈને પણ આકારા પ્રહાર કર્યો છે.

જો કે ગિરીશ કોટેચા દ્વારા બીજી વખત ચેલેન્જ આપી છે પરંતુ પત્રકારને ચેલેન્જ આપનાર અને તરત જ ઉકળી ઉઠતા મહેશગીરીનાં પેટનું પાણી પણ કેમ નહિ હલતું હોય તેવા પણ બુદ્ધિજીવી વર્ગમાં સવાલો ઉઠી રહ્યા છે.

જુનાગઢ: વિદ્યાર્થી ની ને રસ્તા વચ્ચે ઉતરી દેવાના મુદ્દે જુનાગઢ ડેપો મેનેજર આવેદન ના સ્વીકારતા ABVP દ્વારા બસ રોકો આંદોલન

જુનાગઢ: વિદ્યાર્થી ની ને રસ્તા વચ્ચે ઉતરી દેવાના મુદ્દે જુનાગઢ ડેપો મેનેજર આવેદન ના સ્વીકારતા ABVP દ્વારા બસ રોકો આંદોલન:  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી હિત માટે લડતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

તારીખ 19/10/2023 ના રોજ તાલાળા થી જુનાગઢ અભ્યાસ અર્થે અપ-ડાઉન કરતા શિલ્પાબેન ની પરીક્ષાના પેપર સમયે જ એસ.ટી. બસ દ્વારા ચાલુ બસે અવાવરું તેમજ સુમસામ જગ્યા ઉપર જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીની પાસે પાસ હોવા છતાં જબરદસ્તીથી રસ્તા વચ્ચે જ તેને ઉતારી દેવામાં આવતા પરીક્ષા હોવાથી ઘણી આજીજી કરવા છતાં બસમાં ના બેસવા દેવામાં આવતા પરીક્ષાનું એક મહત્વપૂર્ણ પેપર છૂટી જતા શૈક્ષણિક વર્ષ પણ બરબાદ થઈ થઇ જતાં પીડિતા ડિપ્રેશનમાં આવી માનસિક અસ્વસ્થ થઈ ગયેલ છે.
S. T. વિભાગ ના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ABVP જુનાગઢ દ્વારા 20/10/2023 ના રોજ વિભાગીય કચેરીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે લેખિતમાં જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે.
પરંતુ બહેરા તંત્રએ તેમને ન્યાય ના આપતા આજરોજ ABVP જુનાગઢ દ્વારા એસ.ટી. બસ ડેપોમાં ધરણા પ્રદર્શન તેમજ બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં  જેનીશભાઈ ભાયાણીએ તેમજ રાજભાઈ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે  એક તરફ સરકાર બેટી બચાવો – બેટી પઢાવો ના નારા લગાવે છે.
તેમજ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. જ્યારે બીજી તરફ એક મહિલા અને વિદ્યાર્થીનીને જંગલના સુમસાન રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવે છે અને શૈક્ષણિક જીવન ઉપર પ્રહાર કરવામાં આવે છે. આવા સમયે આ જગ્યા ઉપર કોઈ બળાત્કાર કે અનિચ્છનીય ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? આવા પ્રશ્ન સાથે ઉગ્ર રજૂઆત કરી બસ લોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
https://samaysandeshnews.in/china-warns-against-empty-slogans-at-cop28-climate-talks/
જુનાગઢ ડેપો મેનેજર વિપુલભાઈ મકવાણા હાજર હોવા છતાં વિદ્યાર્થીનીનો પ્રશ્ન ન સાંભળતા તેમજ મારો પ્રોટોકોલ મુજબ હું બહાર ન આવી શકું તેવો ઉડાવ જવાબ આપતા. બાહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે બહેનો અને નાગરિકો ABVP ના સમર્થનમાં રામધૂન બોલાવી ધરણા કરવામાં આવેલ.
છતાં ડેપો મેનેજર વાત ન સાંભળી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની   મૌખિક બાહેધરી આપ્યા બાદ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું.
READ MORE:-  ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરતાની સાથે જ 2.06 ટન ચંદ્રની માટીને ઉડાવી દે છે…
ફરીવાર ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. આ તકે પ્રમુખ કાર્યકર્તા જેનીશભાઈ ભાયાણી, જુનાગઢ નગર મંત્રી રાજભાઈ ઝાલાવાડીયા, અવધભાઈ ડાંગર સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ બહેનો અને નાગરિકો પણ જોડાયા હતા.