સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન

સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન: શું તમે વિકલાંગ વ્યક્તિ છો અને રમતગમતને પસંદ કરે છે? શું તમે તમારી જાતને પડકારવા અને તમારા રમતગમતનાં સપનાં હાંસલ કરવા માંગો છો? જો હા, તો પેરા સ્પોર્ટ્સ માટે અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં જોડાઓ!

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પેરા સ્પોર્ટ્સ શારીરિક અને બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા લોકો દ્વારા રમાતી રમતો છે. કેટલીક પેરા સ્પોર્ટ્સ હાલની સક્ષમ શારીરિક રમતોમાંથી અનુકૂલિત શારીરિક પ્રવૃત્તિઓના સ્વરૂપો છે, જ્યારે અન્ય ખાસ કરીને વિકલાંગ વ્યક્તિઓ માટે બનાવવામાં આવી છે.
અમારો તાલીમ કાર્યક્રમ તમને વિવિધ પેરા સ્પોર્ટ્સ, જેમ કે *ગોળા ફેંક (shotput), ચક્ર ફેંક (DISCUSS Throw) અને ભાલા ફેંક (Javelin Throw)* શીખવા માટેની તાલીમ આપશે અને  તમારી ક્ષમતા શોધવામાં અને તમારી કુશળતા વિકસાવવામાં મદદ કરશે.
તમને લાયકાત ધરાવતા અને અનુભવી પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે જે તમને વર્ગીકરણ પ્રક્રિયા, નિયમો અને દરેક રમતની તકનીકો અને વ્યૂહરચનાઓ દ્વારા માર્ગદર્શન આપશે. તમને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય પેરા એથ્લેટ્સ સાથે સ્પર્ધા કરવાની તક પણ મળશે.
અમારો તાલીમ કાર્યક્રમ વય, લિંગ અથવા અનુભવના સ્તરને ધ્યાનમાં લીધા વિના, પેરા સ્પોર્ટ્સમાં રુચિ ધરાવતા કોઈપણ વિકલાંગ વ્યક્તિ માટે આવકાર્ય છે. તમારે ફક્ત રમતગમત માટેના જુસ્સા અને શીખવાની ઇચ્છાની જરૂર છે.
જો તમે પેરા સ્પોર્ટ્સ માટે અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં જોડાવા માંગતા હો, તો કૃપા કરીને *ચિરાગ સોલંકી 9274909880 (સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન)* પર સંપર્ક કરો અથવા નોંધણી કરવા માટે નીચે આપેલ ગુગલ લીંક https://forms.gle/1zMFRDL4ffnLJWRj6 પર જઈ નોંધણી કરો. ઉતાવળ કરો, કારણ કે નોંધણીની અંતિમ તારીખ ૩૦ ઓક્ટોબર, 2023 છે.
READ MORE:-  સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું
પેરા સ્પોર્ટ્સ ચળવળનો ભાગ બનવાની આ તક ગુમાવશો નહીં, જેનો હેતુ રમતગમતની શ્રેષ્ઠતા હાંસલ કરવાનો છે અને અપંગતાની ધારણાઓને બદલવાનો છે. પેરા સ્પોર્ટ્સ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને અન્યને પ્રેરણા આપી શકે છે. તો રાહ શેની જુઓ છો? પેરા સ્પોર્ટ્સ માટેના અમારા છ મહિનાના તાલીમ કાર્યક્રમમાં આજે જ જોડાઓ!

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યુંસુરત શહેરમાં બ્રેઈનડેડ જાહેર થતા બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું પરિવારે દાન કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.
(Organ donation)બાળકના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકના અંગોનું દાન કરવા સહમતી આપી હતી.
વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.અંગદાનમાં પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે.
જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ કલરવ હોસ્પિટલમાં થયો હતો.
જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું.
અહી બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. બાળકની તપાસ કરતા બાળકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું.
બાળકના આ સમાચારથી પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને માત્ર ચાર જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.
અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું.
IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે.
READ MORE:-  ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો
બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયું હતું.

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો

ક્રાઇમ: ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો: સગા મોટા-ભાઈ બહેને ૧૫ વર્ષની નાની બહેનને અંધશ્રદ્ધા માં પતાવી નાખ્યા નો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર..

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખેત મજૂરી કામે એક વાડીમાં રહેતા દાહોદના વતની બે મોટા ભાઈ બહેનોએ નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી દીધી.
 જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડી માં રહી ને ખેત મજૂરી કામ કરતા દાહોદ ના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેનોએ નાની બહેનને અંધશ્રદ્ધામાં છરી અને ધોકા વડે હુમલો કરી પતાવી નાખ્યાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે. જ્યારે તેની હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ બહેન સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. અને મોટાભાઈની અટકાયત કરી લીધી છે,
જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
 આ બનાવની છે કે મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદાબેન ઉમર વર્ષ (૧૫) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડી માં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ બહેનોએ લાકડી અને છરી ના ઘા મારીને હત્યા નીપજાવી હતી,
અને ત્યારબાદ બંને ભાઈ બહેન ધુણવા લાગ્યા હતા. સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો, ત્યારબાદ ૨૪ કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો, અને બંને ભાઈ બહેન ઘરમાં ધૂણતા રહયા હતા. વાડી માલિકને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હત્યારા બંને ભાઈ બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી શારદાબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે, જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથીયાર કબ્જે કરી લેવાયા છે.
 મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે ધ્રોલ પોલીસે આઈપીસી કલમ ૩૦૨,૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વાડી માલિક બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ને ફરિયાદી બનાવ્યા છે.
READ MORE:-  જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત
 પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેન ને પતાવી નાખી છે,
તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા  હતા. દરમિયાન પોલીસ દ્વારા આરોપી રાકેશ પુખ્ત વયનો હોવાથી  છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેનીને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 આરોપીઓના માતા-પિતા દાહોદમાં રહેતા હોવાથી તેઓને પણ હજામચરા ગામે બોલાવી લેવાયા છે. આ બનાવને લઈને હજામજોરા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત

જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત: પશુઓને પૂરતો આહાર મળતો ન હોવાનો વિપક્ષી નેતા સહિતના સભ્યોએ કર્યો ચોંકાવનારો આરોપ…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જામનગર મહાપાલિકા સંચાલિત રણજીતસાગરના ઢોરવાડામાં ગઇકાલે એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, ઢોરના ડબ્બામાં પશુઓની સાચવણી કરવામાં આવતી નથી, તેમને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નથી, એવો આક્ષેપ વિપક્ષી
નેતા ધવલ નંદા અને કોંગ્રેસી સભ્યોએ કર્યો છે, ગઇકાલે બપોરે રણજીતસાગર ઢોરવાડાની ઓચિંતી મુલાકાત લઇને જાણકારી મેળવી હતી, ત્યારે જ ઢોરના ડબ્બામાં એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, જાન્યુઆરથી સપ્ટેમ્બર સુધીમાં નવ મહિનામાં 986 પશુઓના મોત થયા છે.
વિપક્ષી સભ્યોએ ગઇકાલે ઢોરવાડાની મુલાકાત લઇને ગઇકાલે જણાવ્યું હતું કે, આ ઢોરવાડામાં સરેરાશ દરરોજ ત્રણ પશુઓના મોત થાય છે, મુંગા પશુઓને પૂરતો ખોરાક મળતો નથી, પશુઓ પણ સુરક્ષિત નથી, જાન્યુઆરીમાં 191, ફેબ્રુઆરીમાં 147, માર્ચમાં 86, એપ્રિલમાં 47, મે માં 97, જુનમાં 103, જુલાઇમાં 194, ઓગષ્ટમાં 100, સપ્ટેમ્બરમાં 16, ઓકટોબરની તા. 17 સુધીમાં 3 પશુઓના મોત થયા છે.
READ MORE:-  ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત
ઢોરવાડામાં સફાઇનો અભાવ હોવાનું ખુલ્યું છે, એટલું જ નહીં ઢોર ડબ્બામાં વધુ ઢોરને રાખવામાં આવતા હોવાથી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા સારી ન હોવાનું પણ વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું, ગઇકાલે ચેકીંગમાં વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચના નંદાણીયા, જૈનબ ખફી, આનંદ ગોહિલ, પાર્થ પટેલ, સાજીદ બ્લોચ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત:ક્રાઈમ બ્રાન્ચે 56 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત…

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ખંભાળિયા જામનગર હાઈવે પર વાડીનાર નજીક ભરાણા ગામે એક રૂમમાં રહેતા પર પ્રાંતિય આસામીઓ દ્વારા રાખવામાં આવેલા મોબાઈલ ફોન રૂમનું તાળું તોડીને કોઈ તસ્કરો લઈ ગયા હોવાની ફરિયાદના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા
એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં
રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે જી.જે. 10 એ.એફ. 8860 નંબરના પલ્સર મોટરસાયકલ પર બેસીને  આવેલા બે શખ્સોને પોલીસે અટકાવ્યા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હમીદ ઉર્ફે અમુડો હારૂન સંઘાર (ઉ.વ. 26) અને કે.પી.ટી. સર્કલ પાસે રહેતા ઈરફાન ઉર્ફે ગટુડો ઈબ્રાહીમ સુંભણીયા (ઉ.વ. 20) નામના આ બંને શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સોએ મોબાઈલ ફોનની ચોરીની કબૂલાત આપી હતી.
આથી પોલીસે રૂપિયા 36,000 ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 56,000 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આ બંને શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. ગળચર સાથે સ્ટાફના સુનિલભાઈ કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ, નરસિંહભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

દેશ-વિદેશ: જો બિડેને ઇઝરાયેલના નેતન્યાહુને કહ્યું: લાગે છે કે હોસ્પિટલની હડતાલ ‘અન્ય ટીમ દ્વારા કરવામાં આવી છે

દેશ-વિદેશ: જો બિડેને ઇઝરાયેલના નેતન્યાહુને કહ્યું: લાગે છે કે હોસ્પિટલની હડતાલ ‘અન્ય ટીમ દ્વારા કરવામાં આવી છે: જો બિડેન ઇઝરાયેલમાં: જો બિડેને કહ્યું કે વોશિંગ્ટન ઇઝરાયેલને પોતાનો બચાવ કરવા માટે જરૂરી બધું પ્રદાન કરશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

અમેરિકી પ્રમુખ જો બિડેને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે ગાઝા પરની હોસ્પિટલ હડતાલ પેલેસ્ટિનિયન આતંકવાદીઓના સંદર્ભમાં ‘અન્ય ટીમ દ્વારા’ કરવામાં આવી હોય તેવું લાગે છે. તેણે કહ્યું કે તે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં વિસ્ફોટથી “દુ:ખી અને રોષે ભરાયેલો” છે જે હમાસે કહ્યું કે સેંકડો લોકો માર્યા ગયા.

“મેં જે જોયું તેના આધારે, એવું લાગે છે કે તે અન્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, તમે નહીં,” જો બિડેને એક મીટિંગ દરમિયાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું. પરંતુ તેણે કહ્યું કે “ત્યાં ઘણા બધા લોકો” હતા જેમને ખાતરી ન હતી કે વિસ્ફોટનું કારણ શું છે.


જો બિડેને કહ્યું કે વોશિંગ્ટન ઇઝરાયલને પોતાનો બચાવ કરવા માટે જરૂરી બધું પ્રદાન કરશે. અમેરિકી નેતાએ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના રોજ ઓચિંતા હુમલામાં ઇઝરાયલી નાગરિકોની હત્યા માટે હમાસ ઇસ્લામિક સ્ટેટ કરતાં પણ ખરાબ છે.

જો બિડેને એમ પણ કહ્યું હતું કે હમાસના હુમલામાં માર્યા ગયેલા 1,300 થી વધુ ઇઝરાયેલીઓમાં 31 અમેરિકનો પણ હતા.

જો બિડેને કહ્યું, “આપણે ધ્યાનમાં રાખવું પડશે કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેમને માત્ર દુઃખ પહોંચાડ્યું છે.”

યુએસ પ્રમુખે કહ્યું કે તેઓ નેતન્યાહુને “નિર્દોષ અને આની વચ્ચે પકડાયેલા પેલેસ્ટાઈનીઓને મદદ કરવા માટે જીવન બચાવવાની ક્ષમતા” સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે જ્યારે ઈઝરાયેલની મુલાકાત લેવાનું “ગર્વ” છે.

“હું ઇઝરાયેલના લોકોને કહેવા માંગુ છું – તેમની હિંમત, તેમની પ્રતિબદ્ધતા અને તેમની બહાદુરી અદભૂત છે,” જો બિડેને કહ્યું.

“અમેરિકનો દુઃખી છે, તેઓ ખરેખર છે,” જો બિડેને કહ્યું. “અમેરિકનો ચિંતિત છે.”

બેન્જામિન નેતન્યાહુએ ગાઝા યુદ્ધમાં તેમના “અસ્પષ્ટ સમર્થન” માટે મુલાકાત લેનારા યુએસ પ્રમુખનો આભાર માન્યો અને હમાસના ક્રોસ બોર્ડર હુમલાથી મૃત્યુઆંકની અપડેટ આપી જેણે તેને કારણભૂત બનાવ્યું.

“હું જાણું છું કે હું ઇઝરાયેલના તમામ લોકો માટે બોલું છું જ્યારે હું કહું છું કે તમારો આભાર શ્રી રાષ્ટ્રપતિ, આજે, કાલે અને હંમેશા ઇઝરાયેલ સાથે ઉભા રહેવા બદલ આભાર,” તેમણે કહ્યું.

READ MORE:  રૂ.૩૬,૪૦૦/- નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભચાઉ પોલીસ, એક આરોપી ફરાર

“ઓક્ટોબર 7 ના રોજ, હમાસે 1,400 ઇઝરાયેલીઓની હત્યા કરી હતી, કદાચ વધુ,” બેન્જામિન નેતન્યાહુએ ટેલિવિઝન ટિપ્પણીમાં બિડેનને જણાવ્યું હતું કારણ કે તેણે દેશોને ઇઝરાયેલની પાછળ રેલી કરવા હાકલ કરી હતી કારણ કે તે “સંસ્કૃતિના દળો અને બર્બરતાના દળો વચ્ચે યુદ્ધ” તરીકે વર્ણવે છે. “

કચ્છ: રૂ.૩૬,૪૦૦/- નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભચાઉ પોલીસ, એક આરોપી ફરાર…

કચ્છ: રૂ.૩૬,૪૦૦/- નાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી ભચાઉ પોલીસ, એક આરોપી ફરાર: પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ ૨ટાફના માણસો કોમ્બીંગ નાઈટમાં અલગ અલગ ટીમો બનાવી સ.વાહનથી ભચાઉ પો.સ્ટે વિસાારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ

 

(૧) ઈકબાલ ઉંમર હજામ ઉ.૨૪ રહે.માય તા.ભચાઉ

(૨) ઇસ્માઇલ ઉર્ફે મુન્નો ઉંમર હજામ રહે.માય તા.ભચાઉ વાળાઓ પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે.

જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ તપાસ કરતાં

(૧) (50/50) xxx rum પ્રોડયુસ ઓફ ઇન્ડીયા ડીસ્ટીલેરીઝ ની ૭૫૦ મી.લી ની બોટલો નંગ – ૩૦ કી.રૂ.૧૦,૫૦૦/

(૨) ગોડફાધર ધ લેજન્ડરી ઓરીજનલ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ – ૬૫ કિ.રૂ.૧,૫૦૦/

(૩) રોયલ જીન ૧૮૦ મી.લી ના ક્વાટરીયા નંગ – ૧૦૦ કી.રૂ.૧૦,૦૦૦/

 

READ MORE:-  ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી…

(૪) રોયલ ક્લાસીક વ્હીસકી ૧૮૦ મી.લી ના કવાટરીયા નંગ – ૯૪ કી.રૂ.૯,૪૦૦/ એમ કુલ કિ.રૂ.૩૬,૪૦૦/ મુદામાલ મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.