સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યું

સુરત: સુરતમાં જન્મના માત્ર ચાર દિવસમાં બ્રેઈન ડેડ થયેલા બાળકનું અંગદાન, 6 બાળકોને નવજીવન મળ્યુંસુરત શહેરમાં બ્રેઈનડેડ જાહેર થતા બાળકના કિડની, બરોળ, આંખ, લીવરનું પરિવારે દાન કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે.
(Organ donation)બાળકના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

બાળક જન્મ્યાં બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જો કે, ડોક્ટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કરતાં પરિવારે બાળકના અંગોનું દાન કરવા સહમતી આપી હતી.
વિશ્વમાં પણ જન્મના કલાકોમાં અંગદાન કરનાર બીજું જ બાળક છે.અંગદાનમાં પવિત્ર નવરાત્રી દરમ્યાન શક્તિનું અનેક અનોખું જ સ્વરૂપ જોવા મળ્યું છે.
જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું છે. હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ કલરવ હોસ્પિટલમાં થયો હતો.
જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડીયાની કેર ચીલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કર્યું હતું.
અહી બાળકને વેન્ટીલેટર ઉપર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. બાળકની તપાસ કરતા બાળકને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું.
બાળકના આ સમાચારથી પરિવાર ભારે હ્યદયથી ઈશ્વર ઈચ્છા સ્વિકારીને માત્ર ચાર જ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.
અંગદાનની સંમતિ મળ્યા બાદ પ્રથમ સોટો ના ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કર્યો હતો. બાળકના વિવિધ ટેસ્ટ કરાવ્યા હતા અને અંગદાન માટે બાળકને પી.પી.સવાણી હોસ્પીટલમાં ખસેડ્યું હતું.
IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકના તમામ અંગ પણ નાના બાળકોમાં જ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે.
READ MORE:-  ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં ભારે અરેરાટી જગાવનારો કિસ્સો
બંને કિડની અને બરોળ IKDRC અમદાવાદ, લીવર દિલ્હી ILDS હોસ્પિટલ, અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેન્ક, સુરતને અપાયું હતું.

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું: સુરત માં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ
ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ 50થી 60 જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી.
એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું.
જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો?તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો.
પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબેઅહીં જોવા મળી રહી છે.વરાછા પોલીસ સ્ટેશનની બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા વાતાવરણ થઈ ગયું હતું.
પોતાના કોર્પોરેટરને છોડાવવા આવેલા નેતાઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી.
READ MORE:-   ગાંધીધામ માં ગુરૂકુળ વિસ્તારના પરિવાર ૧૩ વર્ષ ની બાળકી પરના બળાત્કાર ની ઘટના કચ્છ પોલીસની આબરૂ લાગી દાવ પર
પોલીસે આખરે તમામ વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિરોધ પક્ષના નેતા સહિત મહિલા કોર્પોરેટર અને અન્ય કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર

સુરત: પાંડેસરામાં ગેસ ગળતર થતાં દોડધામ, 6 લોકોને ગુંગળામણ; 1ની હાલત ગંભીર: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ભંગારની દુકાનમાં આવેલ બાટલામાંથી ક્લોરિન ગેસ લિકેજ થવાની ઘટના સામે આવી છે. જેના પગલે 6 લોકોને ગુંગળામણની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

અસર થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 5ની હાલત સ્થિર હોવાનું તેમજ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરાના વડોદમાં ભંગારની દુકાનમાં ક્લોરિનનો બાટલો આવ્યો હતો.જેને ભંગારની દુકાન વાળાએ ખોલવાનો પ્રયાસ કરતાં ક્લોરિનનો ગેસ લીક થયો હતો.
જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે પૈકી 5 લોકોને વધારે ગુંગળામણ ળતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ આ બાબતની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે
દોડી આવ્યો હતો અને ભોગ બનેલા લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આજે બપોરે પોતે નોકરીથી ઘરે પરત ફર્યા બાદ જમી રહ્યા
હતા. આ દરમિયાન અચાનક લોકો ભાગવા લાગતા હું પણ મારા ભત્રીજાને લઈને ટેરેસ પર દોડ્યો હતો. જો કે મને ગેસની અસર થવા લાગતા હું પણ નીચે ઉતરીને રોડ પર દોડ્યો હતો. જો કે ધીમે-ધીમે મારો શ્વાસ પણ રુંધાવા લાગ્યો અને હું બેભાન થવા
READ MORE:-    ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા
લાગ્યો હતો. હાલ તો આ ઘટનામાં ભોગ બનેલા 5 લોકો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા

સુરત: ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર SoG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ
વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની 50 બોટલો જપ્ત કરવામાં આવી છે.સુરત SoG પોલીસની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરને સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

રાખીને કાપોદ્રા રામક્રિશ્ના કોલોની પાસે આવેલી મહાલક્ષ્‍મી મેડીકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી, જ્યાં ડમી ગ્રાહક મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક ભાવેશભાઈ મગનભાઈ નાકરાણીએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત
દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસે ત્યાં દરોડો પાડીને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી
નશાકારક સીરપની ૫૦ નંગ બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીપોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી
મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતા સીરપના જત્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ
READ MORE:-  એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊનઃ…
ધરવામાં આવી છે, તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ અને રૂલ્સ હેઠળ મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી

ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી: સુરત જિલ્લાના કડોદરામાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. જો કે આ વખતે પોલીસે સમયસૂચકતા વાપરી અપહરણકારોના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસની ભીંસ વધતા ભોગ બનનાર 21 વર્ષીય યુવકને છોડી મૂક્યો હતો.
પોલીસે આ ઘટનામાં ત્રણને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિને 12 વર્ષના બાળકનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગવાના પ્રકરણમાં અપહરણકર્તા બાળકની નિર્દયી રીતે હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના બાદ કડોદરામાં વધુ એક 21 વર્ષીય યુવકના અપહરણની ઘટના બનતા ચકચાર મચી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

 

ગઈ હતી.”પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટીમે રાતોરાત મોબાઇલ લોકેશનને આધારે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ આનંદ રાજેન્દ્ર પ્રસાદ શ્યામ બિહારી મિશ્રા, નયન પ્રેમશંકર નર્મદાપ્રસાદ પટેલ અને વિજેતા અનિલ શિવજી પાંડે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જાણી તેમની સામે કાર્યાવહી કરવામાં આવશે.”
મૂળ બિહારના રોહતાસ જિલ્લા અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામે વલ્લભનગર સોસાયટીમાં આવેલ રાજદીપ બિલ્ડિંગમાં રહેતો સુમિત બિપિનભાઈ બિહારી (ઉ.વર્ષ 27) ગત રવિવારના રોજ તેના ફોઇના પુત્ર સંતોષ સાથે કપડાંની ખરીદી માટે વરેલી ગયો હતો. કપડાં ખરીદીને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે વરેલીનાં વલ્લભનગર ટાઈમ સ્ક્વેર બિલ્ડીંગ પાસે રાત્રિના
નવ વાગ્યે શિવા અને વિકાસ પટેલ નામના બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. સુમિતને, ‘તું સંતોષકો કહા તક બચા પાતે હો” એવી ધમકી આપી ત્યાં હાજર વિજેતા પાંડે અને તેની સાથેના બીજા ત્રણ ઇસમો સાહિલ, મોનુ અને આનંદ મિશ્રાને નામથી
બોલાવતા તેઓ પણ ત્યાં આવી પહોંચી સંતોષ અને સુમિતને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.જો કે સુમિત અને સંતોષ ત્યાંથી બચીને નીકળી રૂમ પર પહોંચી ગયા હતા. દરમિયાન દસેક મિનિટ પછી એક મોટરસાઇકલ પર નયન પટેલ અને વિકાસ
પટેલ રૂમ પર આવ્યા હતા. વિકાસે ચપ્પુ બતાવી સંતોષને જોરજબરજ્સ્તી કરી મોટર સાઇકલ પર વચ્ચે બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. ત્રણ હજાર ખંડણી માગી ત્યારબાદ સુમિત પર એક શખ્સનો ફોન આવ્યો હતો કે, “સંતોષ કો છુડા હો તો તીન હજાર રૂપિયે લેકે વલ્લભ નગર કે ગેટ પર આ જાઓ” એમ કહીને ફોન કટ કરી દીધો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતાં
READ MORE:-  સુરત માં આરોગ્ય વિભાગે 1826 સેમ્પલો લીધા, નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલો ફેઇલ
પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની ભીંસ વધતા યુવક સંતોષને છોડી મૂક્યો હતો તે ત્યાં કામ કરતો હતો તે ફેક્ટરીમાંથી જ મળી આવ્યો હતો.

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત: સુરતનાં ભિમરાડમાં એક નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડિંગ લિફ્ટમાંથી
સમાન ઉતરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.ગતરોજ મૂળ મધ્યપ્રદેશ અને સુરતમાં ભિમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કામ કરતા વિનુભાઈ ડામોર પરિવાર સાથે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ત્યાં જ રહેતા હતા. પરિવારમાં બે સંતાન પૈકી મોટો 19 વર્ષીય દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી પિતા સાથે કામ કરતો હતો. અલ્કેશ છઠ્ઠા માળે સ્લેબ ભરવાના કામકાજમાં લોડિંગ લિફ્ટમાંથી આવતા મટિરિયલ ખાલી કરાવવાનું કામ કરી રહ્યો હતો. અચાનક લિફ્ટ માલ ખાલી કરતા સમયે લાકડાનો ટેકો તૂટી જતા છઠ્ઠા માળેથી લિફ્ટના પાલકમાં નીચે પટકાયો હતો.
જેથી અલ્કેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.છઠ્ઠા માળેથી પટકાયેલા અલ્કેશને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ તમામ સારવાર ખર્ચ બિલ્ડરે ઉપાડ્યો હતો. હાલ વેસુ પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.
READ MORE:-  વિખ્યાત યાત્રાધામ બેટ-દ્વારકા જવા માટે ઓખા પેસેન્જર જેટીએ ગાંધી જયંતીના દિવસે સફાઈ, શિસ્ત અને સુરક્ષાના લીરા ઉડતા જોવા મળ્યા
આ અંગે મૃતકના પિતા વિનુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, પુત્ર 3 વર્ષથી જ સાથે કામે લાગ્યો હતો. બે મહિના પહેલા અજ તેની સગાઈ કરી હતી. આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના હતા એ પહેલા જ આ ઘટના બની છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી

સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી: સુરતમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી,
વિઝીટ દરમ્યાન તેઓના ધ્યાને આવેલા મુદાઓને લઈને તેઓએ સૂચનો પણ કર્યા હતા.સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વિવિધ સમિતિઓના અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ તરીકે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

મનીષા બેન આહીરની નિયુક્તિ કરવામાં આવી છે, હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ તેઓ આજે એક્શન મોડમાં આવી ગયા હતા, સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલની તેઓએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન દર્દીઓ રૂબરૂ મળી ચર્ચાઓ કરી હતી
સાથે દર્દીઓના અલગ અલગ વોર્ડ આ ઉપરાંત ટોયલેટ બાથરૂમ સાફ છે કે કેમ તે તમામ બાબતોને લઈને જાતે તપાસ કરી હતી દરમ્યાન ટોયલેટમાં ગંદકીને લઈને તેઓએ ઉધડો પણ લીધો હતો, અને બાદમાં સ્મીમેરના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો પણ કર્યા હતા.આ અંગે મનીષાબેન આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી, ઘણા એવા પ્રશ્નો છે કે જે મારા ધ્યાને આવ્યા છે અને તેના પર કામ થાય તે માટે સૂચનો પણ કર્યા છે, મારો મુખ્ય આગ્રહ સ્વચ્છતા પર રહેશે.હોસ્પિટલમાં ટોયલેટ બાથરૂમથી લઈને વોર્ડ રૂમ સુધીની સફાઈ અંગે
READ MORE:- પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
સુચનાઓ આપી છે, આ ઉપરાંત હોસ્પિટલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે મારો વિશેષ ભાર રહેશે, હોસ્પિટલની પ્રાથમિક જે જરૂરિયાત છે તે દર્દીઓને મળી રહે તે અંગેના મારા પ્રયાસો રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.