લગ્નના 14 વર્ષ પછી, કોલકાતા સ્થિત એક ઉદ્યોગપતિને તેની પત્નીની રાષ્ટ્રીયતા વિશે ખબર પડી, અને જાણવા મળ્યું કે તે હકીકતમાં બાંગ્લાદેશી છે. આ વ્યક્તિએ તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપ લગાવ્યો છે કે તેણે ભારતીય નાગરિકતા મેળવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો.
બંગાળના આસનસોલના રહેવાસી 37 વર્ષીય તબિશ એહસાને 2009માં નાઝિયા અંબરીન કુરૈશી સાથે લગ્ન કર્યા હતા. નાઝિયાએ પોતાને ઉત્તર પ્રદેશની વતની તરીકે ઓળખાવી હતી. તેમના લગ્નને બંને પરિવારો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને 2022 સુધી બધુ જ સરળતાથી ચાલ્યું હતું.
ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતાં તબિશે જણાવ્યું હતું કે, “હું નાઝિયાને પહેલીવાર લગ્ન સમારોહમાં મળ્યો હતો અને અમારા સંબંધીઓની સંમતિ બાદ અમે લગ્ન કર્યા હતા. તે એક અરેન્જ્ડ મેરેજ હતા. લગ્ન કરતા પહેલા તેણે દાવો કર્યો હતો કે તેનો જન્મ અને ઉછેર થયો હતો. ઉત્તર પ્રદેશ. શરૂઆતમાં તેની નાગરિકતા અંગે કોઈ શંકા નહોતી.
તેમના લગ્નમાં વળાંક તેમના બીજા બાળકના જન્મ સાથે આવ્યો, કારણ કે તાબિશ એહસાન આરોપ મૂકે છે કે તેની પત્ની જન્મ આપતા પહેલા અચાનક તેના માતૃસ્થાનમાં જતી રહી અને તેની સાથે તમામ વાતચીતનો અંત લાવ્યો.
તેના સાસરિયાઓએ તેને જાણ કરી હતી કે નાઝિયા તેની પાસે પરત નહીં ફરે, અને તેણે દાવો કર્યો કે તેના પરિવારના સભ્યો તરફથી ધમકીઓ મળી છે.
બાદમાં, નાઝિયાના પરિવાર દ્વારા તબિશ એહસાન વિરુદ્ધ કલમ 498A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોલકાતાની અલીપોર કોર્ટે તેને જામીન આપી દીધા હતા.
આ સમય દરમિયાન જ તાબિશને તેની પત્નીની સાચી રાષ્ટ્રીયતા વિશે જાણ થઈ. તાબીશને તેના એક સંબંધી પાસેથી ખબર પડી કે નાઝિયા વાસ્તવમાં બાંગ્લાદેશની નાગરિક છે.
“તે દરમિયાન, મને એક સંબંધી પાસેથી ખબર પડી કે નાઝિયા વાસ્તવમાં બાંગ્લાદેશની નાગરિક છે. ચોંકાવનારી વાત એ છે કે તેણે બાંગ્લાદેશમાં અન્ય એક પુરુષ સાથે આવું જ કર્યું. નાઝિયાએ બાંગ્લાદેશમાં એક સ્કૂલ ટીચર સાથે લગ્ન કર્યા હતા, તેને છૂટાછેડા માટે દબાણ કર્યું હતું, અને તેને ખોટા આરોપો અને રાજકીય પ્રભાવને આધીન કર્યા,” તાબિશે દાવો કર્યો.
“તે પછી, તેઓ કોઈપણ વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં ગયા, અને ભારતીય ઓળખ મેળવવા માટે તેઓ દ્વારા મારો ઉપયોગ કરવામાં આવ્યો. મારા લગ્ન તેમના કાવતરાનો એક ભાગ હતો,” તેણે કહ્યું.
હવે, તબિશ એહસાને તેની પત્ની નાઝિયા કુરેશી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કોલકાતાના તિલજાલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પોલીસે તેની કોર્ટ ફરિયાદના આધારે એફઆઈઆર શરૂ કરી, અને તેમાં આઈપીસીની કલમ 120B, 465, 467, 471, 363, વિદેશી અધિનિયમની કલમ 14A(b), અને કલમ 17 સહિત વિવિધ કૃત્યોની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. પાસપોર્ટ એક્ટ. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
સત્તાવાળાઓ સમક્ષ પુરાવા રજૂ કરવા છતાં, તાબિશે પોલીસની કાર્યવાહીના અભાવ પ્રત્યે હતાશા વ્યક્ત કરી હતી.
કરવામાં આવે છે, આજે કુલ *369* પ્રતિમા બંને વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શોરૂમ ની સામે આવેલા કૃત્રિમ વિસર્જન કુંડ માં આજે *291* અને કુલ *1151* ગણેશજીની પ્રતિમાનું શહેરીજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું . તેમજ રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ કૃત્રિમ વિસર્જનકુંડમાં *78* ગજાનન ની પ્રતિમાનું
શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરાયું હતું, તથા કુલ 362 પ્રતિમાનું અહીં વિસર્જન કરાયું હતું , નગરજનો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમ ની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમા નું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા
અહીં કરવામાં આવી છે, અહીં સંપૂર્ણપણે લાઇટિંગની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, નિયમિત અંદાજિત 350 થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.)
પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવે છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે , મૂર્તિનું વિસર્જન અહીંના તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે, ગજાનનની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઇન ની પણ જામનગર મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, આજ સુધી મનપાના બંને કૃત્રિમ કુંડમાં કુલ 1513 પ્રતિમાનું નગરજનો દ્વારા આસ્થાભેર વાજતે – ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના શ્રી રાજીવભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિશર શ્રી કે.કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર શ્રી સી.એસ. પાંડીયન, શ્રી હિરેનભાઈ સોલંકી, શ્રી ચેતનભાઇ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તંત્રી શ્રી ઉપરોક્ત સમાચાર ને આપના વર્તમાન પત્રમાં વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવા વિનંતી છે.
સુરત શહેરમાં સિગરેટ ન પીવા બાબતે ઠપકો આપતા ગુંડા તત્વોએ કોસ્મેટિકના વેપારીની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી છે.આ પ્રકરણમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાન પાસે એક યુવકને સિગરેટ ન પીવા ઠપકો આપ્યો ત્યારે વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સિગરેટ પીવા બાબતે ઝઘડો થયો હતો અને કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારીની આ બાબતે હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પૃથ્વીરાજ સપકાડે, રાજેશ શિયાળ અને સંજય વસાવા નામના લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય છૂટક મજૂરી કરે છે. મરનાર બોબી કોસ્મેટિકની દુકાન ચલાવતા હતાં. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાનની બહાર એક યુવકને સિગરેટ પીવા બાબતે ઠપકો આપ્યો ત્યારે તેને ખબર નહોતી કે આ બાબતમાં તેની હત્યા કરી દેવામાં આવશે. 30 વર્ષીય બોબી યાદવ ઘનશ્યામ નગરમાં કોસ્મેટિકની દુકાનના માલિક હતાં. અજાણ્યા ઇસમો દ્વારા તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. લોહીથી લથપથ વેપારી બોબીને તેમના ભાઈ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતાં. જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ વેપારી બોબીને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા પોલીસ કાપલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હ.તી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કોસ્મેટિકના વેપારી બોબી પોતાની દુકાન પાસે બે દિવસ પહેલા ત્યાં ઉભેલા એક યુવકને સિગરેટ ન પીવા માટે ઠપકો આપ્યો હતો. આવી નજીવી બાબતે તે દરમિયાન બંને વચ્ચે
બોલાચાલી પણ થઈ હતી. જોકે બે દિવસ બાદ આરોપી અને તેના અન્ય સાગરિતો સાથે મળીને ત્યાં ઝઘડો કરવા માટે આવ્યા હતાં અને વેપારીને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી દીધાં હતાં.
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,82,183 સોદાઓમાં કુલ રૂ.25,445.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,878.71 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17557.06 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,867 સોદાઓમાં રૂ.5,313.3 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,749 અને નીચામાં રૂ.58,575 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.58,655ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.147 વધી રૂ.48,151 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.5,857ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.58,656ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,961ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,150 અને નીચામાં રૂ.71,541 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.154 ઘટી રૂ.71,996 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.231 ઘટી રૂ.72,012 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.238 ઘટી રૂ.72,014 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,590 સોદાઓમાં રૂ.1,121.05 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.710.45ના ભાવે ખૂલી, રૂ.1.30 ઘટી રૂ.705.55 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.204.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.65 વધી રૂ.207.85 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.188.05 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.25 વધી રૂ.223.90 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,328 સોદાઓમાં રૂ.1,432.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,453ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,453 અને નીચામાં રૂ.7,352 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 ઘટી રૂ.7,423 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.44 ઘટી રૂ.7,417 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.219ના ભાવે ખૂલી, રૂ.2.20 ઘટી રૂ.215.20 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 2.6 ઘટી 214.8 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,560 અને નીચામાં રૂ.60,260 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.60,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.70 વધી રૂ.919.40 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,731.82 કરોડનાં 4,644.900 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,581.48 કરોડનાં 358.529 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.490.22 કરોડનાં 6,62,920 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.942.61 કરોડનાં 3,97,19,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.130.03 કરોડનાં 6,331 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.49 કરોડનાં 2,047 ટન તાંબાના વાયદાઓમાં રૂ.600.67 કરોડનાં 8,433 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.351.86 કરોડનાં 15,604 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.16 કરોડનાં 192 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.37 કરોડનાં 110.88 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,800.172 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 978.285 ટન, તાંબાના વાયદાઓમાં 22,540 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 23,571 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,280 ટન તથા જસત અને જસત-મિનીમાં 27,794 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,03,980 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 5,19,78,250 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 5,040 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 636.12 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.96 કરોડનાં 127 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 500 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,651 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,717 અને નીચામાં 15,651 બોલાઈ, 66 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ ઘટી 15,698 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.17557.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.432.68 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.647.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14833.5 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1626.86 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.407.66 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.204.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.204.90 અને નીચામાં રૂ.160.40 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.60 ઘટી રૂ.188.20 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.70 ખૂલી, ઉપરમાં રૂ.15.95 અને નીચામાં રૂ.13.50 રહી, અંતે રૂ.1.80 ઘટી રૂ.13.85 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.845ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.845 અને નીચામાં રૂ.790 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30.50 ઘટી રૂ.816 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.59,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.580 ખૂલી, ઊપરમાં રૂ.580 અને નીચામાં રૂ.491.50 રહી, અંતે રૂ.65 ઘટી રૂ.531.50 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,003ના ભાવે ખૂલી, રૂ.56.50 ઘટી રૂ.2,177 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,850.50ના ભાવે ખૂલી, રૂ.41.50 ઘટી રૂ.1,809 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.720 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.46 ઘટી રૂ.7.28 જસત ઓક્ટોબર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.22 વધી રૂ.5.05 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.247.50 અને નીચામાં રૂ.194.10 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.20 વધી રૂ.210.80 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.50 ખૂલી, ઉપરમાં રૂ.16.70 અને નીચામાં રૂ.14.30 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.16.20 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.315 અને નીચામાં રૂ.277 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19.50 વધી રૂ.289.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.175 ખૂલી, ઊપરમાં રૂ.220 અને નીચામાં રૂ.170 રહી, અંતે રૂ.19.50 વધી રૂ.188 થયો હતો.
એમએલ રંગવિહીન પ્રવાહી પણ પોલીસને મળ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અલગ-અલગ પ્રકારના કેમિકલો દારૂની નાની મોટી બોટલના ઢાંકણાઓ સહિતની વસ્તુ પોલીસને મળી આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શોરૂમ ની સામે આવેલા કૃત્રિમ વિસર્જન કુંડ માં આજે 291 અને કુલ 1151 ગણેશજીની પ્રતિમાનું શહેરીજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું . તેમજ રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ કૃત્રિમ વિસર્જનકુંડમાં 78 ગજાનન ની પ્રતિમાનું શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરાયું હતું , તથા કુલ 362 પ્રતિમાનું અહીં વિસર્જન કરાયું હતું.
નગરજનો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા ખાતે શોરૂમ ની સામે અને રણજીત સાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્યવસ્થિત રીતે પ્રતિમા નું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારુ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, અહીં સંપૂર્ણપણે લાઇટિંગની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી,
ચુસ્ત સિક્યુરિટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નિયમિત અંદાજિત 350 થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ- ભાવપૂર્વક બંને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ (પી.ઓ.પી.) પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બંને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન સમયે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવે છે , મૂર્તિનું વિસર્જન અહીંના તાલીમ બદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે.
ગજાનનની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઇન ની પણ જામનગર મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, આજ સુધી મનપાના બંને કૃત્રિમ કુંડમાં કુલ 1513 પ્રતિમાનું નગરજનો દ્વારા આસ્થાભેર વાજતે – ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના શ્રી રાજીવભાઈ જાની,
જામનગર ચીફ ફાયર ઓફિશર શ્રી કે.કે. બિશ્નોઇ, ડેપ્યુટી ચીફ ફાયર શ્રી સી.એસ. પાંડીયન, શ્રી હિરેનભાઈ સોલંકી, શ્રી ચેતનભાઇ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.