ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટને મળ્યો મહત્ત્વનો વેગ મલાડ-માલવણીના મુક્તેશ્વર વિસ્તારમાં ૧૧૮ એકર જમીન ફાળવણીથી ૧૦ લાખ લોકોના પુનર્વસન તરફ મોટું પગલું.
મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી અને વિશ્વના સૌથી મોટા શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ તરીકે ગણાતા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટને હવે નવો વેગ મળ્યો છે. રાજ્ય સરકારે મલાડ-માલવણીના મુક્તેશ્વર વિસ્તારમાં આવેલી ૧૧૮ એકર જમીન પ્રોજેક્ટ માટે સોંપતા પુનર્વસન પ્રક્રિયા ઝડપથી આગળ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જમીનનો ઉપયોગ ખાસ કરીને ધારાવીના અયોગ્ય રહેવાસીઓના પુનર્વસન માટે કરવામાં આવશે,…