મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૩૨ કલાકની અફરાતફરી બાદ રાહતઃ અટવાયેલા વાહનચાલકોને ૮ દિવસમાં ટોલ પરત મળશે.
મુંબઈ અને પુણે વચ્ચેનો દેશનો સૌથી વ્યસ્ત અને અતિમહત્વનો માર્ગ ગણાતો મુંબઈ–પુણે એક્સપ્રેસવે ૩ ફેબ્રુઆરીએ બનેલી એક ગંભીર દુર્ઘટનાના કારણે ૩૨ કલાક સુધી સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. ડેન્જરસ ગૅસ ભરેલું ટૅન્કર ઊંધું વળી જતાં સમગ્ર માર્ગ પર ટ્રાફિક જામની ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ હતી. હજારો વાહનો એક જ સ્થળે કલાકો સુધી અટવાઈ ગયાં…