સલાયામાં રખડતા શ્વાનોનો આતંક બંદર રોડ પર એક જ દિવસે 7 લોકોને કરડ્યા; એક મહિનામાં 195 કેસ, બાળકોને બહાર મોકલવામાં માતા-પિતાનો ભય.
દેવભૂમિ દ્વારકા / સલાયા:દ્વારકા તાલુકાના સલાયા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈ કાલે બંદર રોડ વિસ્તારમાં એક જ દિવસે જુદા જુદા સ્થળોએ શ્વાનોએ સાત લોકોને કરડવાના બનાવો સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને એન્ટી-રેબીઝ ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી…