પંજાબમાં રાજકીય હિંસાનો ખૂનખાર ચહેરો: આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની દિવસદહાડે ગોળી મારી હત્યા, જાલંધરમાં હડકંપ
પંજાબ રાજ્યમાં ફરી એકવાર રાજકીય હિંસાનો ખૂનખાર ચહેરો સામે આવ્યો છે. શુક્રવારની વહેલી સવારમાં જાલંધર શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા લક્કી ઓબેરોયની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ગુરુદ્વારાની બહાર બનેલી આ ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નહીં પરંતુ પંજાબમાં બગડતી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અને રાજકીય અસુરક્ષાની ગંભીર ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે….