વિકાસની વીજલાઈન કે નેતાગીરીની આગ? ખેડૂતોના નામે થતો વિરોધ – હિતરક્ષક આંદોલન કે સ્વાર્થની રાજનીતિ?
ગુજરાત આજે વિકાસના એવા તબક્કે ઊભું છે જ્યાં ઊર્જા, ઉદ્યોગ અને કૃષિ – આ ત્રણેય ક્ષેત્રો પરસ્પર જોડાઈને રાજ્યને સમૃદ્ધિના નવા માર્ગે લઈ જઈ રહ્યા છે. સૌર ઊર્જા, પવન ઊર્જા અને પરંપરાગત ઊર્જા સ્ત્રોતોને એકસાથે જોડીને દેશભરના ગ્રીડને મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે – ખેતરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી…