નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર વિવાદ ગરમાયો — રૂ.700થી 800 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો, વડાપ્રધાન સુધી પહોંચી રજુઆતથી ચકચાર.
દેવભૂમિ દ્વારકા જિલ્લો, જે હિંદુ ધર્મના પવિત્ર તીર્થસ્થાનો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી ગયું છે. ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી એક ગણાતું આ પવિત્ર ધામ હવે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક અરજદારે મંદિરના સંચાલન સામે આશરે રૂ.700થી 800 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકતા સમગ્ર…