ખેરવા ગામની ગૌચર જમીન કૌભાંડ બાદ પ્રાંત–મામલતદાર કચેરીઓમાં ફફડાટ.
હાઈકોર્ટના હુકમ બાદ કલેક્ટરની કડક કાર્યવાહી, બોગસ ખેડૂત ખાતેદારી રદ કરી જમીન શ્રી સરકારમાં જમા. સુરેન્દ્રનગર (દસાડા–પાટડી):સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં સરકારી ગૌચર જમીન ઉપર બોગસ ખેડૂત ખાતેદારી કૌભાંડ બહાર આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન અને પુરાવાઓના આધારે હાઈકોર્ટે કડક નોંધ લેતાં, ત્યારબાદ સુરેન્દ્રનગર કલેક્ટરે તપાસ કરી…