સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન ગેરરીતિનો વિવાદ : ડૉ. નિદત્ત બારોટની તટસ્થ તપાસ સમિતિની માંગ, ડૉ. કમલ મહેતાને એ.સી.-ઈ.સી.માંથી દૂર કરવાની રજૂઆત.
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રામાણિકતા અંગે ગંભીર વિવાદ ઉભો થયો છે. શિક્ષણ વિદ્યાશાખાના ડીન અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ. નિદત્ત બારોટે કુલપતિ ઉત્ત્પલ જોશીને લેખિત રજૂઆત કરીને અંગ્રેજી ભવનના અધ્યક્ષ તથા એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડૉ. કમલ મહેતા સામે સંશોધન પત્રોમાં ગંભીર ગેરરીતિ અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે…