પલસાણા તાલુકામાં ઝેરી પાણીનો આતંક કેજરીવાલ જીઓટેક પ્રા. લિ.ના કેમિકલ વેસ્ટથી પાકો નષ્ટ, પશુપાલન સંકટમાં GPCB અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ
પલસાણા તાલુકાના ટેક્સટાઈલ ઝોનમાં કાર્યરત કેજરીવાલ જીઓટેક પ્રા. લિ. દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવતું અનટ્રીટેડ કેમિકલ વેસ્ટ વોટર હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે ગંભીર સંકટ બની ગયું છે. ઝેરી રસાયણયુક્ત પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની વર્ષોની મહેનત બરબાદ થઈ છે. ઊભા પાકો સુકાઈ રહ્યા છે, જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે અને પશુપાલન પણ ભારે…