પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલનું નિવાસસ્થાને અવસાન
ભારતની રાજનીતિમાં સદાચાર, શિસ્ત અને સંસદીય પરંપરાઓના જીવંત પ્રતીક તરીકે ઓળખાતા કોંગ્રેસના કદાવર નેતા તથા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી શિવરાજ વિમાનરાવ પાટિલનું શુક્રવારે વહેલી સવારે 90 વર્ષની વયે અવસાન થયું. પરિવારના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાંક સમયથી ગંભીર રીતે બિમાર હતા અને લાતૂર સ્થિત પોતાના નિવાસસ્થાને સારવાર લઈ રહ્યા હતા.સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના…