‘છોટી કાશી’ જામનગરમાં મહાશિવરાત્રીની શોભાયાત્રા પૂર્વે રજતમઢીત પાલખીનું ભવ્ય પૂજન – આશુતોષ સ્વરૂપે મહાદેવની આરાધનાથી શહેર શિવમય
જામનગર શહેરે મહાશિવરાત્રીના પાવન પર્વે ફરી એકવાર પોતાની “છોટી કાશી” તરીકેની ઓળખને જીવંત કરી દીધી હતી. ભગવાન શિવના જયઘોષ, ઢોલ-નગારા, શંખનાદ અને “હર હર મહાદેવ”ના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા પૂર્વે પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામદૂત હનુમાન મંદિરના પટાંગણમાં ભગવાન શિવના આશુતોષ સ્વરૂપે બિરાજમાન થનાર રજતમઢીત પાલખીનું વિધિવત્ પૂજન…