જામજોધપુરમાં આયુર્વેદિક આરોગ્યનો મહાકુંભ: ભવ્ય ‘આયુષ મેળા’માં ૨૫૦૦થી વધુ નાગરિકોએ લીધો આયુર્વેદ અને હોમિયોપેથી સારવારનો લાભ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આયોજિત એક ભવ્ય અને લોકહિતલક્ષી કાર્યક્રમ તરીકે ‘આયુષ મેળા’એ આરોગ્યજાગૃતિના ક્ષેત્રમાં નવી દિશા પ્રસ્થાપિત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જામજોધપુરના શ્રી કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે આ વિશાળ આયુષ મેળાનું આયોજન…