જામનગરમાં શહીદ દિન નિમિત્તે યુવાનોનો દેશભક્તિથી ઓતપ્રોત ઉત્સવ — મેરા યુવા ભારત દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન
૨૩ માર્ચનો દિવસ ભારતના ઇતિહાસમાં અવિસ્મરણીય સ્થાન ધરાવે છે. આ દિવસે દેશના અમર શહીદોનું બલિદાન યાદ કરવામાં આવે છે અને સમગ્ર દેશભરમાં ‘શહીદ દિન’ તરીકે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જામનગરમાં પણ આ પવિત્ર દિવસ નિમિત્તે દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો, જ્યારે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત, જામનગર દ્વારા…