ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત – અયોધ્યાના દર્શન બાદ વનતારાની મુલાકાત માટે આગમન.
જામનગર, તા. ૨૧ ફેબ્રુઆરીગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિશ્રી ડૉ. ભરત જગદેવ જામનગર એરપોર્ટ પર પહોંચતા તેમને રાજ્ય અને જિલ્લા પ્રશાસનના મહાનુભાવો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરના આ મહાનુભવના આગમનને પગલે એરપોર્ટ પર સુરક્ષા તથા પ્રોટોકોલની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ આગમન માત્ર શિસ્તાચાર પૂરતું ન રહેતા, ભારત અને ગુયાના વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક…