જામનગરમાં રેલવે ડિમોલેશન મુદ્દે રહેવાસીઓનો સંસદ સુધી અવાજ: પૂનમબેન માડમે સંકલનથી ઉકેલ લાવવાનો આપ્યો વિશ્વાસ
જામનગર શહેરના દિગ્જામ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી ડિમોલેશન નોટિસ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આ નોટિસના પગલે બાવરીવાસ, હનુમાન ટેકરી, સિદ્ધાર્થ નગર સહિતના વિસ્તારોના આસામીઓ મોડી રાત્રે મોટી સંખ્યામાં જામનગરના સાંસદ પૂનમબેન માડમને મળવા પહોંચ્યા અને સમગ્ર મુદ્દે રજૂઆત કરી. પાર્લામેન્ટ સત્ર પૂર્ણ કરી જામનગર પરત…