રતનપુરા જમીન કૌભાંડનો ભંડાફોડ ૧૯૯૯ના રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું અને ખોટા પંચકયાસ : નાયબ મામલતદાર સહિત ૭ સામે છેતરપિંડીની ફરિયાદ
નડિયાદ જિલ્લામાં ફરી એક વખત જમીન સંબંધિત ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. માતર તાલુકાના રતનપુરા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે સરકારી અધિકારી સહિત સાત શખ્સોએ મળતિયાગીરી કરી હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણમાં વર્ષ ૧૯૯૯ના કાયદેસર રજિસ્ટર્ડ વિલને અવગણી બોગસ પેઢીનામું, ખોટા પંચકયાસ અને બનાવટી દસ્તાવેજોના આધારે…