જાહેરાત
તાજા સમાચાર
પ્રેસા સોફ્ટવેરનો રાજ્યવ્યાપી બહિષ્કાર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો મોટો નિર્ણય. | ખેતર વચ્ચે જ પ્રસૂતિ: 108ની ટીમે 800 મીટર ખાટલા પર માતા-નવજાતને લાવી બચાવ્યા. | દેવશયની એકાદશીનું મહાત્મ્ય: ચાતુર્માસનો પવિત્ર પ્રારંભ, ભક્તિ, સંયમ અને આત્મચિંતનનો સંદેશ. | અતિભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે કરી સમીક્ષા, નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા. | ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, 26 જુલાઈની કસોટી હવે નવી તારીખે યોજાશે | હિમાચલ પ્રદેશમાં કરૂણ દુર્ઘટના, લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટતા 13નાં મોત; 6 મહિનાનું બાળક પણ ભોગ બન્યું | બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, રાજકીય ઉથલપાથલ વચ્ચે લીધો નિર્ણય | ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’નો બોક્સ ઓફિસ પર દબદબો, ભારતમાં 7 દિવસમાં 100 કરોડની કમાણી | જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર.

જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર.

 જામનગર તાલુકાના જગા ગામમાં પશુપાલકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. તા. 24-07-2026ના રોજ ફૂડ પોઈઝનિંગની શંકાને પગલે કુલ 46 ઘેટાં અને બકરાંના મોત થયા હોવાનું પશુપાલન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ અન્ય 7 પશુઓની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, શ્રી નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના 21 ઘેટાં અને 4 બકરાં, એમ કુલ 25 પશુઓના મોત થયા છે. જ્યારે શ્રી મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના 18 ઘેટાં અને 3 બકરાં, એમ કુલ 21 પશુઓના મોત નિપજ્યા છે.

 

આ ઉપરાંત હાલમાં નારણભાઈના 2 ઘેટાં તેમજ મચ્છાભાઈના 4 ઘેટાં અને 1 બકરો, એમ કુલ 7 પશુઓ બીમાર હાલતમાં હોવાનું નોંધાયું છે.

ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ, જામનગર તેમજ પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાતોની ટીમે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પશુઓની હિસ્ટ્રીના આધારે પ્રાથમિક તારણમાં ફૂડ પોઈઝનિંગના કારણે પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

પશુપાલન વિભાગ દ્વારા બંને માલિકોના તમામ પશુઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે તેમજ બીમાર પશુઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ પશુપાલકોને દૂષિત અથવા શંકાસ્પદ ચારો ન આપવાની, સ્વચ્છ પાણીની વ્યવસ્થા રાખવાની અને અન્ય પશુઓમાં કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઘટનાથી જગા ગામના પશુપાલકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પશુપાલન વિભાગે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણ અંગે નમૂનાઓનું વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ