જાહેરાત
તાજા સમાચાર
ખાતર વિતરણમાં પારદર્શિતા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: કાળાબજારી, ટેગિંગ અને સંગ્રહખોરી રોકવા વિશેષ તપાસ ટીમોની નિમણૂક. | ગોંડલ માર્કેટિંગ યાર્ડની ખેડૂત હિતલક્ષી પહેલ: અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ. | અમદાવાદમાં વરસાદથી થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઈ માટે મહત્વનો નિર્ણય, જરૂર પડે તો રવિવારે પણ ખુલશે શાળાઓ | 2027 વનડે વર્લ્ડ કપ માટે ICCએ ક્વૉલિફાયરનું શિડ્યૂલ જાહેર કર્યું, 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી રમાશે ટૂર્નામેન્ટ. | હવે વાહનો રસ્તામાં એકબીજા સાથે 'વાતચીત' કરશે! 2028થી V2V ટેક્નોલોજીથી અકસ્માતો અટકાવવાની સરકારની મોટી તૈયારી. | અમેરિકામાં 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના કોમર્શિયલ લાઇસન્સ રદ, અંગ્રેજી નિયમ કડક થતાં ભારતીય ડ્રાઇવરોને મોટો ફટકો. | નવું ટેક્સ સુધારા બિલ-2026 લોકસભામાં રજૂ: ડાયમંડથી લઈને ડેટા સેન્ટર સુધી અનેક ક્ષેત્રોને મોટી રાહત, રોકાણકારો માટે પણ સારા સમાચાર. | ગોંડલ–નાસિક રૂટ પર નવી અદ્યતન સ્લીપર બસ શરૂ, લાંબા અંતરના મુસાફરોને મળશે વધુ આરામદાયક સફર. | જામનગરમાં મેગા દરોડો: આરબલુસ ગામની સીમમાંથી ₹1.30 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત, તમામ આરોપીઓ ફરાર. | શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળી 79,050 પર, નિફ્ટી 24,650ની ઉપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭ વાર જોવાયેલ 15 મિનિટ પેહલા

મારું શહેર ગોંડલ માર્કેટિંગ યાર્ડની ખેડૂત હિતલક્ષી પહેલ: અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ.

ગોંડલ માર્કેટિંગ યાર્ડની ખેડૂત હિતલક્ષી પહેલ: અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ.

 ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતી વધુ એક સંવેદનશીલ પહેલ અંતર્ગત આકસ્મિક અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના પરિવારજનોને આર્થિક સંબળ પૂરું પાડવા માટે રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયથી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા પરિવારોને મહત્વપૂર્ણ આર્થિક રાહત મળી છે.

આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રતિનિધિ તથા યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તે કમઢિયા ગામના સ્વ. વલ્લભભાઈ ગેડીયા, વાસાવડ ગામના સ્વ. મનસુખભાઈ મોરી અને દેવચડી ગામના સ્વ. ભુપતભાઈ કુમરખાણિયાના વારસદારોને પ્રત્યેક રૂ. 5 લાખના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, યાર્ડના ડિરેક્ટરો, આગેવાનો તેમજ લાભાર્થી પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતો રાજ્યની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેમના પરિવારોને મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો મળે તે માટે માર્કેટિંગ યાર્ડ વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકી રહ્યું છે. આવી સહાયથી પરિવારજનોને આર્થિક સંકટનો સામનો કરવામાં રાહત મળે છે અને તેમની જીવનયાત્રાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે.

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા સમયાંતરે ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાય કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂત અને તેમના પરિવારના હિત માટેની આ કામગીરી યાર્ડની સામાજિક જવાબદારી અને ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ