જાહેરાત
તાજા સમાચાર
ડીસા-પાટણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે સામસામે અથડામણ, 22 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત. | જામનગર NCC ગ્રુપ હેડક્વાર્ટર્સ માટે ગૌરવની ક્ષણ : 42 NCC કેડેટ્સ અગ્નિવીર તરીકે દેશસેવામાં જોડાયા, મેજર જનરલ બિમલ મોંગાએ કર્યું સન્માન. | જામનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની વ્યસ્ત મુલાકાત : વિદ્યાર્થીઓ સાથે સંવાદ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચનાઓ. | નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ 700 કરોડના કથિત ગોટાળાની તપાસ તેજ : PMO સુધી રજૂઆતો બાદ અધિકારીઓને અહેવાલ સોંપવાની તાકીદ. | પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો ઉત્સાહભેર પ્રારંભ : અધિક સચિવ મનીષભાઈ શાહે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત. | જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં વડ પાંચસરા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી. | સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા યુવતી માટે બની અભિશાપ : કેશોદની યુવતી પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પોરબંદરના GRD જવાનની ધરપકડ. | પ્રભારી સચિવ રાજેશ માંજૂની પ્રેરક ઉપસ્થિતિમાં શહેરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ. | 107 ચલણ બાકી! દંડની રકમ બાઈકની કિંમતથી પણ વધુ | શેરબજારમાં મોટો કડાકો : સેન્સેક્સ ૮૯૩ અને નિફ્ટી ૨૭૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૫.૪૧ લાખ કરોડ સ્વાહા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૦ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

મારું શહેર પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા સાથે જામજોધપુર ચેમ્બર પ્રમુખ સફાઈ અભિયાનમાં જોડાયા.

પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા સાથે જામજોધપુર ચેમ્બર પ્રમુખ સફાઈ અભિયાનમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

જામજોધપુર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષના શાસનકાળ પૂર્ણ થવાના અવસરે જામજોધપુર ખાતે વિવિધ સામાજિક અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા માટે વિશેષ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ સફાઈ અભિયાનમાં ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી ચિમનભાઈ સાપરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જામજોધપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીતુભાઈ વાછાણી, જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડિયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છતા એ સંસ્કારનો સંદેશ આપતા જાહેર સ્થળોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકની જવાબદારી મહત્વપૂર્ણ છે અને આવા અભિયાનો દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસ, સુશાસન, સ્વચ્છતા, ડિજિટલ પરિવર્તન અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું પણ વક્તાઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરીને લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સફાઈ અભિયાનમાં સ્થાનિક આગેવાનો, વેપારી વર્ગના પ્રતિનિધિઓ, યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં જનભાગીદારીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વચ્છતા અને સમાજસેવાના સંકલ્પ સાથે ઉપસ્થિતોએ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ :

https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ