જાહેરાત
તાજા સમાચાર
જામનગર મનપાની કાર્યવાહી, પ્રિન્ટેડ પસ્તીમાં ફરસાણ આપતા વેપારીઓને ચેતવણી. | અંકલેશ્વરમાં ACBનો સપાટો, ત્રણ પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. | ઈરાન-અમેરિકા તણાવથી ક્રૂડમાં ઉછાળો, સોનામાં ઘટાડા બાદ ફરી તેજી. | સેન્સેક્સમાં તેજી, નિફ્ટી પણ વધ્યો; એનર્જી અને સિમેન્ટ શેરોમાં ખરીદીનો માહોલ. | સમીમાં એલસીબીનો મોટો દરોડો, ₹60.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. | તિરુપતિમાં પ્રથમ આરતીના અધિકારને લઈને વિવાદ, કર્ણાટક સરકારના પ્રસ્તાવ સામે વિરોધ. | ‘NAMASTE દિન’ નિમિત્તે રાજકોટમાં સફાઈ કામદારો માટે આરોગ્ય ચકાસણી અને સુરક્ષા શિબિર યોજાઈ. | ઇકોનોમિક ટાઇમ્સની ‘વેડિંગ પાવર લિસ્ટ 2026’માં E9 Eventsને સ્થાન. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | તારીખ ૧૫/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૯ વાર જોવાયેલ 9 કલાક પેહલા

મારું ગુજરાત અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ

અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ

અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 16 જુલાઈ, 2026ના રોજ તમામ પ્રકારની જણસીની હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. આ અંગે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે.

બજાર સમિતિએ જણાવ્યું છે કે અષાઢી બીજના અવસરે યાર્ડમાં કોઈપણ કૃષિ પેદાશની હરાજી યોજાશે નહીં. તેથી ખેડૂતો, વેપારીઓ, આડતિયાઓ તેમજ અન્ય સંકળાયેલા તમામ લોકોએ પોતાની જણસી યાર્ડમાં લાવવાનું ટાળવા અને તે મુજબ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

સમિતિએ વધુમાં જણાવ્યું છે કે આગામી કાર્યદિવસથી માર્કેટિંગ યાર્ડમાં હરાજી અને અન્ય તમામ કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અગાઉથી જ આ રજાની માહિતી જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ