જાહેરાત
તાજા સમાચાર
પીએમ મોદીએ સેશેલ્સને ‘મેડ ઇન ઇન્ડિયા’ પેટ્રોલ યુદ્ધ જહાજ સોંપ્યું: હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા સહયોગને મળશે નવી મજબૂતી | 146 વર્ષમાં સૌથી સૂકો જૂન! ચોમાસું 15 જૂન પછી થંભી ગયું: દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત | જામનગરમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન-2026નો પ્રારંભ: મેયર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં બાળકોને અપાઈ પોલિયોની રસી | ગુજરાતમાં ચોમાસું બનશે વધુ સક્રિય: આજે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, શરૂઆતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ | જામનગર વૃદ્ધ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ તેજ: આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસે કરાવ્યું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન | રામમંદિર દાનચોરી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: 8 આરોપીઓના ઘરે એકસાથે દરોડા, મુખ્ય આરોપી ટિન્નુનું ઘર બંધ મળ્યું | જામનગરના ગ્રેન માર્કેટમાં તસ્કરોનો તરખાટ: પી.એચ. ટ્રેડિંગ અને મહેતા એન્ટરપ્રાઇઝિસના તાળા તોડી ચોરીનો પ્રયાસ | ખેડૂત આંદોલનને વેગ આપવા જામનગરના ખેડૂતો મોરબીના જેતપરમાં રવાના: ઠેબા ચોકડીથી 150થી વધુ ખેડૂતોનો કાફલો નીકળ્યો. | ખંભાળિયામાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની વિશાળ સપોર્ટ માર્ચ | ભાણવડમાં પોલીસનો પ્રોહિબિશન વિરોધી કડક પ્રહાર: ગરચુડી વિસ્તારમાંથી રૂ. 29,389નો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ફરાર. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૧૫ વાર જોવાયેલ એક દિવસ પેહલા

ઈન્ડિયા ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન

ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સેનાના છ વીર જવાનોના નામ કેન્દ્ર સરકારે પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ તમામ શહીદોના નામ નવી દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલમાં કાયમી રીતે અંકિત કરવામાં આવ્યા છે.

સરકારે આ છ વીર સપૂતોના નામ નેશનલ વૉર મેમોરિયલની '3D' દીવાલ પર તેમજ તેની સત્તાવાર વેબસાઇટના 'રોલ ઓફ ઓનર' વિભાગમાં પણ સામેલ કર્યા છે. આ પગલું દેશ માટે બલિદાન આપનારા જવાનોને કાયમી શ્રદ્ધાંજલિ અને સન્માનરૂપ માનવામાં આવી રહ્યું છે.

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોમાં સૂબેદાર મેજર પવન કુમાર (નિધન 10 મે), રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર) (નિધન 10 મે), લાન્સ નાયક દિનેશ કુમાર (નિધન 7 મે), એવીએશન ટેકનિશિયન મુરલી નાયક (નિધન 9 મે), હવલદાર સુનીલ કુમાર સિંડ (નિધન 6 જૂન) અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના પદક) (નિધન 10 મે)નો સમાવેશ થાય છે.

આ તમામ જવાનોએ ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સુરક્ષા અને અખંડિતતા માટે ફરજ બજાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. તેમના અદમ્ય સાહસ અને દેશપ્રેમને યાદગાર બનાવવા માટે તેમના નામોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની વર્ષ 2025ની 'ત્યાગ ચક્ર' દીવાલ પર આ છ વીર જવાનોના નામ હંમેશા માટે અંકિત કરવામાં આવ્યા છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આ શહીદોને આ રીતે રાષ્ટ્ર તરફથી કાયમી સન્માન અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ