જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં દારૂ સામે પોલીસની ત્રાટકતી કાર્યવાહી: ત્રણ સ્થળે દરોડા, 220 બાટલી સાથે બે ઝડપાયા. | ભણગોર નજીક બેકાબૂ કારની ટક્કરે જીઆરડી જવાનનું મોત બેંકનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા, રસ્તામાં કાળ બની કાર ધસી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું. | દોઢ વર્ષથી ફરાર સજા વોરંટનો આરોપી કાલાવડ ગ્રામ્ય પોલીસની જાળમાં. | લોકલ બસમાં પણ હવે ઓનલાઈન બુકિંગની સુવિધા: GSRTCનો મુસાફરોને મો.ટો લાભ, 100 કિમીથી વધુ અંતરની 2,500થી વધુ ટ્રિપ્સ માટે સેવા શરૂ. | હારીજના વશરામપુરા ચાલીમાં પાણી માટે હાહાકાર: બે મહિનાથી પાણી વિના પરેશાન રહીશોએ પાલિકા પ્રમુખ સમક્ષ કરી લેખિત રજૂઆત. | જામનગરના શાંતિનગરમાં પોલીસનો દરોડો: 208 દારૂના ક્વાર્ટર સાથે યુવક ઝડપાયો. | ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પૂર્વ અગ્નિવીરોને સરકારી ભરતીમાં 20 ટકા અનામત, વયમર્યાદા અને શારીરિક કસોટીમાં પણ મળશે વિશેષ રાહત. | ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય: સિનિયર IAS અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર, અનેક વિભાગોના વધારાના ચાર્જમાં બદલાવ. | જૂની અદાવતમાં જામનગરમાં યુવક પર ધારીયાથી જીવલેણ હુમલો, ગળા અને ગરદનમાં ગંભીર ઇજાઓ | બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટામરે આપ્યું રાજીનામું: લેબર પાર્ટીમાં નવા નેતૃત્વની શોધ શરૂ, બ્રિટિશ રાજકારણમાં ફરી મોટો ભૂકંપ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ “મારી સામે ડોળા કેમ કાઢે છે?” કહી યુવક પર પથ્થરથી હુમલો, માથામાં ઇજા

“મારી સામે ડોળા કેમ કાઢે છે?” કહી યુવક પર પથ્થરથી હુમલો, માથામાં ઇજા

જામનગર શહેરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના માથામાં ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના સિદ્ધાર્થનગર શેરી નં. 1 વિસ્તારમાં રહેતા તરુણભાઈ પ્રવિણભાઈ માંડલિયા પોતાના રહેણાંક મકાન નજીક આવેલી એક દુકાને પાણીની બોટલ ખરીદવા માટે ગયા હતા. તે દરમિયાન દુકાન પાસે હાજર રહેલા જગદીશભાઈ બીલાભાઈ બાવરી સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી.

ફરિયાદ મુજબ, આરોપીએ તરુણભાઈને ઉશ્કેરાટભરી ભાષામાં “મારી સામે ડોળા કેમ કાઢે છે?” તેમ કહી તકરાર શરૂ કરી હતી. આ બાદ બંને વચ્ચે ઝપાઝપી અને ઉગ્ર જઘડો થયો હતો. દરમિયાન આરોપીએ ફરિયાદીને ઢીંકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બનાવ વધુ ઉગ્ર બનતા આરોપીએ રોડ પર પડેલો એક પથ્થર ઉઠાવી ફરિયાદીના માથાના પાછળના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો. પથ્થર વાગતા તરુણભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશભાઈ બીલાભાઈ બાવરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે હુમલાના કારણો, ઘટનાક્રમ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં નજીવી બાબતોને લઈને થતી મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા લોકોમાં સંયમ જાળવવાની અને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ