જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં દહેજ માટે રૂ. 3 કરોડની માંગણીનો ગંભીર આક્ષેપ: પરણીતાએ પતિ સહિત છ સાસરીયાઓ સામે નોંધાવી ફરિયાદ. | પોરબંદર-નવી બંદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ફરજ પર જઈ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત. | બંધ મકાનને તસ્કરોનું નિશાન: જામનગરમાં મહિલા સફાઈ કામદારના ઘરમાંથી રૂ. 2.77 લાખની રોકડ અને દાગીનાની ચોરી. | વિધવા સહાયના નામે વિશ્વાસઘાત: જામનગરમાં 74 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી રૂ.1.29 લાખના સોનાના દાગીના ચોરી, રિક્ષાચાલક સહિત ત્રણ સામે ફરિયાદ. | જામનગરના પંચવટી સર્કલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી. | મોન્સૂન ફિશિંગ પ્રતિબંધનો ભંગ: જામનગર નજીક દરિયામાં માછીમારી કરનાર સામે ગુનો નોંધાયો. | પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા. | 'તેરા તુજકો અર્પણ' હેઠળ જામનગર પોલીસની પ્રશંસનીય કામગીરી: બિનવારસુ હાલતમાં મળી આવેલી રૂ. 3 લાખની કાર મૂળ માલિકને પરત અપાઈ. | ત્રણ રાજ્યોમાં પેટાચૂંટણીનો શંખનાદ:ત્રણ વિધાનસભા બેઠકો પર 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ | મોદીએ જાપાનના વડાપ્રધાન તાકાઈચીને 'નાની બહેન' કહીને આવકાર્યા |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગરના પંચવટી સર્કલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી.

જામનગરના પંચવટી સર્કલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી.

જામનગર શહેરના પંચવટી સર્કલ નજીક આશરે 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ થયેલી હાલતમાં મળી આવતા સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળ મૃત્યુ અંગે નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પંચવટી સર્કલ વિસ્તારમાં આશરે 40 વર્ષનો એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.

એમ્બ્યુલન્સ દ્વારા અજાણ્યા પુરુષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું તબીબે નોંધ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ બનાવ અંગે સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકાળ મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ તેમના પરિવારજનો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ