જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૪૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા.

પીઠડ ગામે જૂની અદાવતનો વિસ્ફોટ: પરિવાર પર 6 શખ્સોનો હુમલો, મહિલા સહિત ત્રણને ઈજા.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં જૂની અદાવતને લઈને એક પરિવાર પર છ શખ્સોએ હુમલો કરી મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જોડિયા પોલીસ સ્ટેશનમાં છ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, પીઠડ ગામે રહેતી સલમાબેન ફૈજાનભાઈ જુમાણીના ભાઈ મજીદના પુત્ર રેહાન દ્વારા અગાઉ આરોપી રસીકભાઈ રામભાઈ સોઢીયાની વાડીમાંથી એક ગલૂડિયું લાવવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. આ જ જૂની અદાવતના કારણે રસીકભાઈ સોઢીયા પોતાના ભાઈઓ અશોકભાઈ સોઢીયા અને ચેતનભાઈ સોઢીયા સાથે ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓએ ફરિયાદીના પરિવાર સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન વધુ ત્રણ શખ્સો અંકિતભાઈ બાબુભાઈ સોઢીયા, અર્જુનભાઈ રસીકભાઈ સોઢીયા અને જયદીપભાઈ અશોકભાઈ સોઢીયા પણ ઘટનાસ્થળે પહોંચી જતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું.

આક્ષેપ મુજબ, તમામ છ આરોપીઓએ મળીને સલમાબેન અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન રસીકભાઈએ ફરિયાદીના છાતીના ભાગે લાત મારી હતી, જ્યારે ચેતનભાઈએ લોખંડના પાઈપ વડે પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ફરિયાદીની માતા રોશનબેનને ઝાપટ મારવામાં આવી હતી તેમજ માતા અને ભાભી શેહનાઝબેન સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ બનાવ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 115(2), 351(3), 352, 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ