જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો. | 7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા. | મોદીના ચહેરાનો માસ્ક પહેરી ચોરે મોબાઇલ શોપમાં હાથફેરો કર્યો, 35થી 40 સ્માર્ટફોનની ચોરીથી ભીલવાડામાં ચકચાર. | સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ રિસર્ચ અને ટ્રેનિંગ હબ. | ઉત્તરાખંડમાં ચોમાસાએ મચાવી તબાહી: 100થી વધુ રસ્તા બંધ, બે મકાન ધરાશાયી, બદ્રીનાથ-કેદારનાથ હાઇવે કલાકો સુધી ઠપ્પ; આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રા સ્થગિત. | નવજાત શિશુઓના આરોગ્ય માટે ગુજરાત સરકારનું ઐતિહાસિક પગલું: ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલમાં આવશે. | પીએમ મોદીએ શિવભક્તોને પાઠવી શુભેચ્છાઓ, ભક્તિ અને શિસ્ત સાથે યાત્રા પૂર્ણ કરવાની અપીલ | જામજોધપુરમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો ફસાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા; સમગ્ર ઘટના CCTVમાં કેદ. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ને પાર. | જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાના બહાને વૃદ્ધાને લૂંટનાર રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સ ઝડપાયા, રૂ.4.18 લાખનો મુદ્દામાલ કબજે. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬ વાર જોવાયેલ 56 મિનિટ પેહલા

મારું શહેર 7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા.

7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા.

દ્વારકાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2019માં નોંધાયેલા પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, ગાળાગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેસમાં આરોપી વેરસીભા માણેક અને ધર્મેન્દ્રભાઈ કાચા સામે લગાવવામાં આવેલા તમામ આરોપો પુરાવાના અભાવે સાબિત ન થતાં બંનેને નિર્દોષ જાહેર કરીને છૂટકારો આપ્યો છે.

કેસની વિગતો મુજબ, વર્ષ 2019 દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન આરોપીઓએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી, પોલીસ કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવા આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા પોલીસ અધિકારીઓની જુબાની, પંચ સાક્ષીઓ, મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષના વકીલ જયંત માણેક દ્વારા સાક્ષીઓની ઉલટતપાસ કરી વિગતવાર કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપોને શંકાથી પર સાબિત કરવા માટે પૂરતા નથી.

બંને પક્ષોની દલીલો, સાક્ષીઓના નિવેદનો તેમજ રેકોર્ડ પર ઉપલબ્ધ તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તા. 03 જુલાઈ, 2026ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપો નિઃસંદેહ રીતે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી આરોપીઓને શંકાનો લાભ મળવો જોઈએ.

આથી કોર્ટે વેરસીભા માણેક અને ધર્મેન્દ્રભાઈ કાચાને પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતના તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા.

આ ચુકાદો બાદ બચાવ પક્ષના વકીલ જયંત માણેકએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા ઉપલબ્ધ પુરાવા અને કાયદાની જોગવાઈઓના આધારે ન્યાયસંગત નિર્ણય આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વર્ષોથી ચાલી રહેલા કેસનો અંત આવ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ