જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો. | 7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા. | મોદીના ચહેરાનો માસ્ક પહેરી ચોરે મોબાઇલ શોપમાં હાથફેરો કર્યો, 35થી 40 સ્માર્ટફોનની ચોરીથી ભીલવાડામાં ચકચાર. | સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ રિસર્ચ અને ટ્રેનિંગ હબ. | ઉત્તરાખંડમાં ચોમાસાએ મચાવી તબાહી: 100થી વધુ રસ્તા બંધ, બે મકાન ધરાશાયી, બદ્રીનાથ-કેદારનાથ હાઇવે કલાકો સુધી ઠપ્પ; આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રા સ્થગિત. | નવજાત શિશુઓના આરોગ્ય માટે ગુજરાત સરકારનું ઐતિહાસિક પગલું: ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલમાં આવશે. | પીએમ મોદીએ શિવભક્તોને પાઠવી શુભેચ્છાઓ, ભક્તિ અને શિસ્ત સાથે યાત્રા પૂર્ણ કરવાની અપીલ | જામજોધપુરમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો ફસાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા; સમગ્ર ઘટના CCTVમાં કેદ. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ને પાર. | જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાના બહાને વૃદ્ધાને લૂંટનાર રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સ ઝડપાયા, રૂ.4.18 લાખનો મુદ્દામાલ કબજે. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો.

જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો.

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે સીટી ‘એ’ ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂ. 2.77 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન અને સૂચના અનુસાર શહેરમાં બનતા ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તે અંતર્ગત જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તા. 2 જુલાઈ, 2026ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢાને તેમના બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી.

બાતમીના આધારે પોલીસે યોગેશ ઉર્ફે નીખીલ રમેશભાઈ ચૌહાણ (ઉંમર 26 વર્ષ), રહે. વૃંદાવન એપાર્ટમેન્ટ, બ્લોક નં. 203, મહાવીરનગર, નીલકંઠ સ્કૂલ સામે, જામનગર,ને ઝડપી પાડ્યો હતો.

આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં નીચેની કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે:

  • સોનાનો મશીન પાસીવાળો મિલાન ચેઇન – અંદાજિત કિંમત રૂ. 95,000
  • સોનાનો પાસીવાળો ચેઇન – અંદાજિત કિંમત રૂ. 55,000
  • લાલ મોતીવાળું મંગળસૂત્ર – અંદાજિત કિંમત રૂ. 50,000
  • ચાંદીની લક્કી – અંદાજિત કિંમત રૂ. 7,000

આ ઉપરાંત આરોપી પાસેથી રૂ. 70,000 રોકડા પણ કબજે કરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 2,77,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

આ મુદ્દામાલ જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજીસ્ટર નં. 11202008261294/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 305(એ) અને 331(3) મુજબ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી ઘરફોડ ચોરીનો એક વણઉકેલાયેલો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.

આ કેસમાં આરોપીની અટકાયત એએસઆઈ રવિરાજસિંહ એ. જાડેજા દ્વારા કરવામાં આવી છે અને હાલમાં આરોપીની વધુ પૂછપરછ કરીને અન્ય ચોરીના બનાવોમાં તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડીયા, એએસઆઈ રવિરાજસિંહ એ. જાડેજા, નરેન્દ્રસિંહ કે. ઝાલા, મહિપાલસિંહ એમ. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ એન. સોઢા, શૈલેષભાઈ કે. ઠાકરિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ એન. જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે જણાવ્યું છે કે શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે આવનારા સમયમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ