રાજકારણ તમિલનાડુ સરકાર હવે માત્ર AC બસોની જ કરશે ખરીદી, CM વિજયનો મહત્વનો નિર્ણય
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે રાજ્યના જાહેર પરિવહનને વધુ આધુનિક અને મુસાફરોને અનુકૂળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર હવે હવેથી માત્ર એર-કન્ડિશન્ડ (AC) બસોની જ ખરીદી કરશે, જેથી સામાન્ય નાગરિકોને પણ આરામદાયક અને સુવિધાસભર મુસાફરીનો લાભ મળી શકે.
માહિતી અનુસાર, મુખ્યમંત્રી વિજયે તાજેતરમાં જ એક સામાન્ય સરકારી બસમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરોની મુશ્કેલીઓ, ખાસ કરીને ઉનાળાની ગરમી અને લાંબા અંતરની મુસાફરી દરમિયાન થતી અસુવિધાનો જાતે અનુભવ કર્યો હતો. આ અનુભવ બાદ તેમણે નિર્ણય લીધો કે ભવિષ્યમાં ખરીદવામાં આવતી તમામ નવી સરકારી બસોમાં એર-કન્ડિશનિંગની સુવિધા ફરજિયાત રાખવામાં આવશે.
મુખ્યમંત્રીનું માનવું છે કે જાહેર પરિવહન માત્ર સસ્તું જ નહીં, પરંતુ આરામદાયક પણ હોવું જોઈએ. સામાન્ય અને મધ્યમવર્ગીય મુસાફરોને ખાનગી વાહન જેવી સુવિધા સરકારી બસોમાં પણ મળે તે સરકારનું લક્ષ્ય છે.
આ નિર્ણય અમલમાં આવ્યા બાદ રાજ્ય પરિવહન નિગમ દ્વારા આગામી સમયમાં ખરીદવામાં આવતી તમામ નવી બસો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં એર-કન્ડિશનિંગ ઉપરાંત વધુ આરામદાયક બેઠકો, સુધારેલી સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોને અનુકૂળ અન્ય સુવિધાઓ પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા
પરિવહન ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી વધુ લોકો જાહેર પરિવહન તરફ આકર્ષિત થશે, જેના કારણે ટ્રાફિકનું દબાણ અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી શકે
મુખ્યમંત્રી વિજયનો આ નિર્ણય સામાન્ય મુસાફરોના દૈનિક પ્રવાસને વધુ આરામદાયક, સુરક્ષિત અને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો