મારું શહેર વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા એચ.જી. વાળાનું સન્માનપૂર્વક વિદાય સમારોહ યોજાયો.
જામનગર: ભારત સરકારની સેવામાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા એચ.જી. વાળાને આજરોજ ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર મીણા સાહેબ તેમજ અધિકારી સુપ્રિમ ટેન્ડન દત્તા સાહેબ દ્વારા નિવૃત્ત કર્મચારીનું ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને સહકર્મચારીઓએ તેમની વર્ષો સુધીની નિષ્ઠાવાન અને સમર્પિત સેવાઓને બિરદાવી હતી.

વિદાય સમારોહ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે એચ.જી. વાળાએ પોતાની ફરજ દરમિયાન પ્રામાણિકતા, જવાબદારી અને કર્મનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સેવાઓ સંસ્થા માટે હંમેશા યાદગાર રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સહકર્મચારીઓએ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સુખદ, સ્વસ્થ તથા આનંદમય જીવનની કામના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે લાગણીસભર વાતાવરણ વચ્ચે નિવૃત્ત કર્મચારીએ પણ પોતાના સેવાકાળના સંસ્મરણો વહેંચ્યા હતા અને સહકર્મચારીઓ તથા અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સન્માન સમારોહ અંતે તમામ ઉપસ્થિતોએ નિવૃત્ત કર્મચારીને શુભકામનાઓ પાઠવી તેમની ઉજ્જવળ અને સુખમય નિવૃત્ત જીવનયાત્રા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ : https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews