જાહેરાત
તાજા સમાચાર
જામનગરના વિકાસની જીવંત ગાથા બની ‘પ્રગતિ પથ યાત્રા’: ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના સંગમનો ભવ્ય પ્રારંભ | ઉરી સેક્ટરમાં દુર્ઘટના: ગ્રેનેડ બ્લાસ્ટમાં સેનાના બે જવાન શહીદ, તપાસ શરૂ | અમદાવાદ મેટ્રોને વધુ ગતિ: કેન્દ્રીય કેબિનેટે ફેઝ-2Aના 6 કિમી નવા કોરિડોરને મંજૂરી આપી. | જામનગરના વ્યસ્ત માર્ગ પર ડમ્પરની અડફેટે માતા-પુત્રી: મહિલા ગંભીર રીતે ઘાયલ, પુત્રીને પણ ઈજા,ખોડીયાર કોલોની નજીક પૂરપાટ દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારી. | જામનગરમાં શિક્ષિકાનો સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે કાયદાનો આશરો: ત્રાસ, ધમકી અને પાંચ લાખની માંગણી મામલે ફરિયાદ નોંધાઈ. | અમદાવાદમાં મેટ્રો ડેપો નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ. | જામનગર બનશે ભારતનું AI પાવરહાઉસ: મેટા અને રિલાયન્સ વચ્ચે ઐતિહાસિક કરાર, 168 મેગાવોટનું AI ડેટા સેન્ટર સ્થાપાશે | પ્રેમપ્રકરણની આગે સળગ્યું સતિયા ગામ: ફિલ્મી ઢબે ધસી આવેલા ટોળાના આતંક બાદ પોલીસે કસ્યો કાયદાનો ફંદો, વધુ ૯ આરોપીઓ ઝડપાયા | કાલાવડમાં મધરાતે આગનો તાંડવ: લાકડાના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી, બાઈકની પેટ્રોલ ટાંકી ફાટતાં જ્વાળાઓએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ. | રણમલ તળાવેથી ગુંજ્યો સ્વચ્છતાનો સંકલ્પ: શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના શ્રમદાનથી જામનગરમાં સ્વચ્છતા જનઆંદોલનને નવી દિશા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૩ વાર જોવાયેલ

મારું શહેર અમદાવાદમાં મેટ્રો ડેપો નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ.

M
MANAV BHATTI
એક કલાક પેહલા
અમદાવાદમાં મેટ્રો ડેપો નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ.

વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ રોડ પર 200 ઝૂંપડાઓ આગની ચપેટમાં; ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે દોડી

અમદાવાદ: શહેરના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના માર્ગ પર આવેલા મેટ્રો ડેપો નજીક આજે ભીષણ આગની ઘટના સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ 200 જેટલા ઝૂંપડાઓ આગની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઝૂંપડાઓમાં જ્વલનશીલ સામગ્રી વધુ પ્રમાણમાં હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. ઘટનાસ્થળની આસપાસ અંદાજે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા હોવાથી આગ વધુ વિસ્તરે નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

 

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફસાયેલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આગને કારણે કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ હતી, જ્યારે તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.

આગની સ્થિતિ અને નુકસાન અંગેની વધુ વિગતો ફાયર વિભાગની સત્તાવાર માહિતી બાદ સ્પષ્ટ થશે.

 

સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ :

https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ