જાહેરાત
તાજા સમાચાર
ખેતીની જમીનને NA રૂપાંતર પર એક વર્ષનો બ્રેક? ગુજરાત સરકારના મોટા નિર્ણયથી જમીન બજારમાં ખળભળાટ. | સુરતથી વિકાસનો મહામેળો: વડાપ્રધાન મોદી 5 જૂને ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. | જાંબુડા પાટિયા પાસે રાજપૂત યુવાન પર જીવલેણ હુમલો : છરીના ઘા ઝીંકી બે શખ્સો ફરાર, CCTV ફૂટેજ વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી. | પશ્ચિમ બંગાળમાં TMCમાં રાજકીય ભૂકંપ: 58થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો, મમતા બેનરજી સામે સૌથી મોટો આંતરિક પડકાર | જામનગર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ટ્રકના ટાયર નીચે માથું આવી જતાં યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત, ચાલક ફરાર. | ભરઉનાળે ખંભાળિયામાં હજારો લિટર પાણીનો વેડફાટ: આદર્શ સ્કૂલ નજીક પાઇપલાઇન તૂટતા રસ્તા પર વહેતી થઈ ‘નદી’, સ્થાનિકોમાં રોષ | જામનગરમાં વ્યાજખોરીનો આતંક: વેપારી પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા બાદ કાર પચાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ. | ખંભાળીયા એરફોર્સ સાઇટ પરથી રૂ.15 લાખના 25 હજાર કિલો લોખંડના સળીયાની ચોરીનો ભેદ ઉકેલાયો. | પ્રેમ, વિશ્વાસ અને છેતરપિંડીની કરૂણ કહાની : જામનગરમાં અનાથ યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે. | 3 જૂન 1947: જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલાનો લેવાયો ઐતિહાસિક નિર્ણય, બદલાઈ ગયો 34 કરોડ લોકોનો ઇતિહાસ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૪૨ વાર જોવાયેલ

ક્રાઇમ ખંભાળીયા એરફોર્સ સાઇટ પરથી રૂ.15 લાખના 25 હજાર કિલો લોખંડના સળીયાની ચોરીનો ભેદ ઉકેલાયો.

M
MANAV BHATTI
5 કલાક પેહલા
ખંભાળીયા એરફોર્સ સાઇટ પરથી રૂ.15 લાખના 25 હજાર કિલો લોખંડના સળીયાની ચોરીનો ભેદ ઉકેલાયો.

ખંભાળીયા: ખંભાળીયા તાલુકામાં આવેલી એરફોર્સ સાઇટ પરથી ચોરાયેલા રૂ.15 લાખથી વધુ કિંમતના 25,000 કિલોગ્રામ JSW TMT લોખંડના સળીયાની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ખંભાળીયા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરીના ગુનામાં 100 ટકા મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

પોલીસને ફરિયાદ મળ્યા બાદ તરત જ ખાસ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી.

તપાસ દરમિયાન કુવાડીયા પાટીયા નજીક આવેલા એક ગોડાઉનમાંથી ચોરી કરાયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ત્યાંથી ચોરાયેલા લોખંડના સળીયા, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રેક્ટર-ટ્રોલી તેમજ મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ.20.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ

 

પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં:

  • સુનીલ સીયારામ શાહ (ઉ.વ. 45), રહેવાસી મધેપુર, બિહાર
  • નિર્મલકુમાર સુનીલ શાહ (ઉ.વ. 19), રહેવાસી મધેપુર, બિહાર
  • અમીત સુરેન્દ્ર શર્મા (ઉ.વ. 35), રહેવાસી ફરીદાબાદ, હરિયાણા

નો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આયોજનબદ્ધ રીતે એરફોર્સ સાઇટ પરથી મોટી માત્રામાં લોખંડના સળીયાની ચોરી કરી હતી. જોકે પોલીસે ઝડપી અને અસરકારક તપાસ કરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા.

100 ટકા મુદ્દામાલ રિકવર

 

ખંભાળીયા પોલીસની ટીમે ચોરી થયેલા તમામ લોખંડના સળીયા તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરીને 100 ટકા રિકવરી નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ચોરી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક સ્તરે આ સફળ કામગીરીને પોલીસ માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે, કારણ કે ફરિયાદ નોંધાયા બાદ ખૂબ જ ટૂંકા સમયમાં ગુનાનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ પરત મેળવવામાં પોલીસ સફળ રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ