જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૨૬ વાર જોવાયેલ એક મહિનો પેહલા

ક્રાઇમ ખંભાળિયા નજીક વિરમદળ રોડ પર યુવાનની કરપીણ હત્યા: સમગ્ર પંથકમાં ખળભળાટ, હત્યારાઓને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન

ખંભાળિયા નજીક વિરમદળ રોડ પર યુવાનની કરપીણ હત્યા: સમગ્ર પંથકમાં ખળભળાટ, હત્યારાઓને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં વિરમદળ ગામના રોડ પર એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા આસીફ ઓસમાણ લાખા (ઉંમર 54 વર્ષ) તરીકે થઈ છે. બનાવની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આસીફ ઓસમાણ લાખાની વિરમદળ ગામ નજીક અજાણ્યા શખ્સોએ ઘાતકી રીતે હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.

આ ગંભીર ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા જયરાજસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક મીત રૂડરાલ તેમજ એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી હત્યા પાછળનું કારણ જાણવા તેમજ સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

મોડી રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જામનગર કુરેશ કસાઈ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

હાલ પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ, અંગત અદાવત, લૂંટફાટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને શોક અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ