જાહેરાત
તાજા સમાચાર
ખેડૂતો બાદ હવે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન! TET ફરજિયાતના નિર્ણય સામે 20 જૂન સુધી ધરણાં અને આવેદનપત્રો | ખાંસીનું સિરપ હવે ડૉક્ટરની પર્ચી વગર નહીં મળે! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | રાહુલ ગાંધીનો દેશવ્યાપી શંખનાદ! 17 જૂને કોટાથી મહા રેલીની જાહેરાત | જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો | કેશોદ એરપોર્ટ ગેટ સામેના મકાનમાંથી ₹1.99 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. | “સુરક્ષિત સ્થળાંતર અને બાળમજૂરી નાબૂદી” માટે સૌએ મળીને કામ કરવું જરૂરી: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા. | કંગના રણૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત! 4 દિવસમાં 5 કરોડ પણ પાર ન કરી શકી ફિલ્મ | જામનગરમાં દારૂની હેરાફેરી પર પોલીસનો પ્રહાર: કારમાંથી 43 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા, ₹3.62 લાખનો મુદ્દામાલ જપ્ત. | એસટી કર્મચારીઓ માટે કડક નિયમ! ફરજ દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે સસ્પેન્શન | ગુજરાતમાં Td અને DPT મહાઅભિયાનનો પ્રારંભ: તંદુરસ્ત અને વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશ શરૂ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૪૪ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામનગર: જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં 15 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સોનવડીયા ગામની ઇન્દિરા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો 15 વર્ષીય પુત્ર શાળામાં અભ્યાસ કરે છે અને ગામમાં દૈનિક કામકાજ માટે આવન-જાવન કરતો હતો. દરમિયાન ગામમાં રહેતા રાણાભાઈ નૈયાભાઈ રાડા (રબારી) નામના શખ્સે અગાઉ આપેલા રૂ.20ના બહાને સગીર પાસે રૂ.3,000ની માંગણી શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા આરોપીએ તેના પર અયોગ્ય દબાણ ઉભું કરી અશ્લીલ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી. સગીરે તેનો વિરોધ કરતાં આરોપીએ તેને તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી સગીર અને તેનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. અંતે પરિવારજનોએ સમગ્ર મામલે જામજોધપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી રાણાભાઈ નૈયાભાઈ રાડા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(4), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 12 અને 18 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સગીરો સાથેના આવા ગુનાઓને લઈને કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે અને પોક્સો અધિનિયમ હેઠળ આવા કેસોની સંવેદનશીલતાથી તપાસ કરવામાં આવે છે. સ્થાનિક સ્તરે આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ