જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૫૮ વાર જોવાયેલ 2 મહિના પેહલા

ક્રાઇમ જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામજોધપુરના સોનવડીયા ગામે સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો

જામનગર: જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં 15 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સોનવડીયા ગામની ઇન્દિરા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો 15 વર્ષીય પુત્ર શાળામાં અભ્યાસ કરે છે અને ગામમાં દૈનિક કામકાજ માટે આવન-જાવન કરતો હતો. દરમિયાન ગામમાં રહેતા રાણાભાઈ નૈયાભાઈ રાડા (રબારી) નામના શખ્સે અગાઉ આપેલા રૂ.20ના બહાને સગીર પાસે રૂ.3,000ની માંગણી શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા આરોપીએ તેના પર અયોગ્ય દબાણ ઉભું કરી અશ્લીલ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી. સગીરે તેનો વિરોધ કરતાં આરોપીએ તેને તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી સગીર અને તેનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. અંતે પરિવારજનોએ સમગ્ર મામલે જામજોધપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી રાણાભાઈ નૈયાભાઈ રાડા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(4), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 12 અને 18 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ સહિત અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સગીરો સાથેના આવા ગુનાઓને લઈને કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે અને પોક્સો અધિનિયમ હેઠળ આવા કેસોની સંવેદનશીલતાથી તપાસ કરવામાં આવે છે. સ્થાનિક સ્તરે આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ