જાહેરાત
તાજા સમાચાર
કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: સિયા ગોયલની કથિત સ્નેપચેટ ચેટ પોલીસના રડાર પર, તપાસમાં ષડયંત્રની આશંકા... | વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઓનલાઈન ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ: મેલબર્ન કાર્યક્રમને લઈને તપાસ શરૂ. | પેટ્રોલ બાદ હવે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ મિશ્રણની તૈયારી: 15% આઇસોબ્યુટેનોલ બ્લેન્ડિંગની યોજના જાહેર. | E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનને નુકસાન થાય છે? સરકાર અને ઓટો નિષ્ણાતોએ દૂર કરી ગેરસમજો.. | ભારતનું ટ્રિલિયન ડોલરનું રિટેલ માર્કેટ હવે AIના ભરોસે: ગ્રાહકોના વર્તનનું વિશ્લેષણ કરી બદલાઈ રહ્યો છે શોપિંગનો અનુભવ. | રેવાડી મર્ડર મિસ્ટ્રી: આત્મહત્યાનો દેખાવ, ડિલીટ ચેટ અને 49 કોલ્સે ખોલ્યો હત્યાનો કથિત ભેદ; પત્ની સહિત બે ઝડપાયા. | ફિલ્મો અને વેબ સિરીઝની પાયરસી મુદ્દે ટેલિગ્રામને કેન્દ્ર સરકારનું અલ્ટીમેટમ: 15 દિવસમાં માંગ્યો એક્શન ટેકન રિપોર્ટ. | પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજન બાઈનું નિધન: લોકકલાની એક યુગપ્રવર્તક અવાજને દેશે ગુમાવ્યો. | અયોધ્યામાં 147 કિલોનું સોનાથી મઢેલું ‘રામચરિતમાનસ’ ગુમ થયાનો આક્ષેપ... | અમદાવાદમાં નવનિર્મિત ‘સિતાવન ગીર ગૌશાળા’નું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ, ગૌસેવા અને પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૨૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

ઈન્ડિયા પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજન બાઈનું નિધન: લોકકલાની એક યુગપ્રવર્તક અવાજને દેશે ગુમાવ્યો.

પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજન બાઈનું નિધન: લોકકલાની એક યુગપ્રવર્તક અવાજને દેશે ગુમાવ્યો.

છત્તીસગઢની લોકકલા અને પંડવાણી ગાયન પરંપરાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવનાર પદ્મ વિભૂષણ સન્માનિત પંડવાણી ગાયિકા તીજન બાઈનું લાંબી બીમારી બાદ 70 વર્ષની વયે રાયપુર સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અવસાનથી લોકસંગીત અને ભારતીય સાંસ્કૃતિક જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

તીજન બાઈ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને તેમની સારવાર રાયપુર AIIMSમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન સાથે ભારતીય લોકસંસ્કૃતિએ એક અદ્વિતીય કલાકાર ગુમાવ્યો છે.

પંડવાણી ગાયનની પરંપરાને પોતાના શક્તિશાળી સ્વર, અભિવ્યક્તિ અને અનોખી રજૂઆતથી વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં તીજન બાઈનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે મહાભારતની કથાઓને લોકભાષા અને લોકશૈલીમાં રજૂ કરીને લાખો શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.

તેમના કલા ક્ષેત્રેના અસાધારણ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને બાદમાં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમના અવસાન પર દેશભરના કલાકારો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને તેમના ચાહકોએ ઊંડી શોકભાવના વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ