જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
હેલ્થ ૧૩૫ વાર જોવાયેલ એક મહિનો પેહલા

હેલ્થ માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી.

માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી.

યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ જવાનો અને આગેવાનોએ કર્યો યોગાભ્યાસ

માધવપુર ઘેડ: 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટ દ્વારા આજરોજ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને આરોગ્યવર્ધક યોગ ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ જવાનો સહિત સ્થાનિક આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન યોગાના નિષ્ણાત લખમણભાઈ બારૈયા તથા રાજુભાઈ સંપટ દ્વારા ઉપસ્થિત સભ્યોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે યોગને માત્ર કસરત નહીં પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટેનું મહત્વપૂર્ણ સાધન ગણાવી નિયમિત યોગાભ્યાસના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તમામ ઉપસ્થિતોએ સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા તણાવમુક્ત જીવન, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે તે અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ સુનિલકુમાર કિશોરભાઈ કાનાબાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાનો માટે શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતા અત્યંત જરૂરી છે, જેમાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત યોગાભ્યાસથી જવાનો પોતાની ફરજો વધુ કાર્યક્ષમતાથી નિભાવી શકે છે.

કાર્યક્રમમાં માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગાભ્યાસ દરમિયાન સૌએ એકસાથે વિવિધ આસનો કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જગદીશભાઈ અરજણભાઈ સગારકા તેમજ પોરબંદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલિતાબેન પ્રવીણભાઈ માવદીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યોગ દિવસના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો છે, જેને આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનું સાધન નથી, પરંતુ જીવનમાં સંતુલન, સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનું માધ્યમ પણ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જોઈએ.

 

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, હોમગાર્ડ જવાનો અને નાગરિકોએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

માધવપુર ઘેડ હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજિત આ યોગ દિવસ કાર્યક્રમ યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો. યોગના માધ્યમથી તંદુરસ્ત અને સશક્ત ભારતના નિર્માણનો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.

 

એહવાલ સુભાષ માવદીયા

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ