જાહેરાત
તાજા સમાચાર
દેશભક્તિના રંગમાં રંગાઈ જામનગરની રતનબાઈ મસ્જિદ, હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ. | માધવપુર ઘેડમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર ગામ. | જામનગર જિલ્લા પંચાયતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ઉપપ્રમુખ પરેશ હિરપરાએ કર્યું ધ્વજવંદન. | જામનગરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, તિરંગાને સલામી સાથે ગુંજ્યું રાષ્ટ્રગાન. | જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. | ધ્રોલમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો: શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ. | તારીખ : ૧૫/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | જ્યોતિર્લિંગ અને શક્તિપીઠનું દિવ્ય સંગમ: શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પાવન ગાથા. | ₹1 લાખ કરોડના ખર્ચે વાયુસેનામાં આવશે 60 નવા ટ્રાન્સપોર્ટ વિમાન, સરકારનું મોટું પગલું. | ₹6,000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું એક્શન: કથિત માસ્ટરમાઈન્ડ વિરેન્દ્રસિંહ બૈસોયા દુબઈથી ભારત ડિપોર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૧ વાર જોવાયેલ 56 મિનિટ પેહલા

મારું શહેર જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

જામનગર કોર્ટ પરિસરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત જ્યુડિશિયલ અધિકારીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

જામનગર કોર્ટ પરિસરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જામનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોશી તથા તમામ જ્યુડિશિયલ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જામનગર વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો તેમજ કોર્ટના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજ વંદન બાદ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એન. આર. જોશીએ ઉપસ્થિત તમામ જ્યુડિશિયલ અધિકારીઓ, વકીલ મંડળના સભ્યો અને કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સમગ્ર કોર્ટ પરિસર દેશભક્તિના માહોલથી ગુંજી ઊઠ્યું હતું અને રાષ્ટ્રપ્રેમ તથા બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ