જાહેરાત
તાજા સમાચાર
માણાવદરમાં મોબાઇલ શોપ સંચાલકની હત્યા, છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | વર્ગ-2 રાજ્યસેવક સામે ACBનો સકંજો, ₹1.78 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | PM મોદીનો મોટો ડિજિટલ પ્લાન: મંત્રીઓને ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર’ બનવા સૂચના, જાણો શું છે નવી વ્યૂહરચના? | ભાવનગરના ખરકડી ગામે નશા બાદ યુવકનું મોત, ચાર લોકોની તબિયત લથડી. | ભાવનગરના ઉખલા ગામે ચોંકાવનારી ઘટના: કૂવામાં પડી 3 યુવકોના મોત, પોલીસ રેડને લઈને વિરોધાભાસ. | સરકારી નોકરીમાંથી નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી! જમીન વિકાસ નિગમના તત્કાલીન મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો. | કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. | SBI ગ્રાહકો ખાસ જાણી લો! 1 ઓક્ટોબરથી બદલાશે રોકડ ઉપાડનો નિયમ, 5મા ટ્રાન્ઝેક્શનથી લાગશે ચાર્જ. | RBIનો નવો ડ્રાફ્ટઃ 2027થી બદલાઈ શકે હોમ લોનનો નિયમ, EMI પર શું થશે અસર? | કેન્સર સામેની જંગમાં મોટી સફળતા! સ્કીન કેન્સર પાછું આવતું રોકવામાં પર્સનલાઇઝ્ડ mRNA વેક્સિનના આશાસ્પદ પરિણામો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૫૯ વાર જોવાયેલ 2 મહિના પેહલા

ક્રાઇમ જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.

જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.

જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા જૂના આવાસના એક મકાનમાંથી શ્રમિક યુવાનનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અંધાશ્રમ જૂનું આવાસ, બ્લોક નં. 37, રૂમ નં. 02માં ભાડેથી રહેતા દિલીપભાઈ ચમનભાઈ પોલરા (ઉ.વ. 57), મૂળ સોની સમાજના અને મજૂરી કામ કરતા હતા. તેઓ પોતાના રહેણાંક મકાનના રસોડામાં જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીરની ચામડી ઉખડી ગયેલી તેમજ શરીર ફૂલી ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેના કારણે મૃત્યુને કેટલાક દિવસો વીતી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળે એકત્રિત થઈ ગયા હતા.

બનાવની જાણ મકાન માલિક કિશોરભાઈ વિરજીભાઈ વાડોલીયાએ પોલીસને કરી હતી. માહિતી મળતાં સીટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવાની તેમજ તેમના સ્વાસ્થ્ય અને અન્ય સંજોગોની માહિતી મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ ઘટના બાદ અંધાશ્રમ વિસ્તારના રહેવાસીઓમાં પણ ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ