જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. | સિક્કા દરિયાકાંઠે ચોરીનો બનાવ: શ્રીજી સાઇટની ઓફિસમાંથી ₹51 હજારના કિંમતી બુશની તસ્કરી. | જામનગરમાં બાંધકામના વિવાદે લીધો ઉગ્ર વળાંક, દંપતી પર ચાર શખ્સોનો હુમલો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સિમેન્ટ-કાંકરી પડવાની બાબતે બોલાચાલી બાદ મારામારી. | હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને દહેજ પહોંચ્યું LNG ટેન્કર ‘દિશા’! 62 હજાર મેટ્રિક ટન ગેસ કાર્ગો સાથે ભારત માટે રાહતના સમાચાર | મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો! નજીકના સહયોગી જ્યોતિ પ્રિયા મલ્લિકે તમામ પદોથી રાજીનામું આપ્યું | અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: 8.85 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત, બે બુટલેગર વોન્ટેડ જાહેર. | જામનગરમાં શ્વાન પર ક્રૂર હુમલાનો વધુ એક બનાવ: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ | દેવભૂમિ દ્વારકામાં SOGની મોટી કાર્યવાહી: ₹1.07 કરોડના એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સ ઝડપાયા | જામનગરમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સમીક્ષા બેઠક યોજાઈ, બાળ સુરક્ષા અને કલ્યાણ મુદ્દે વિસ્તૃત ચર્ચા. | રિલાયન્સ AGM 2026માં મુકેશ અંબાણીની મેગા જાહેરાત! Jio Platformsના IPOને મંજૂરી, AI, સેટેલાઇટ ઈન્ટરનેટ અને ગ્રીન એનર્જી પર મોટો દાવ |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૨૨ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.

જામનગરમાં ભાડાના મકાનમાંથી શ્રમિકનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર.

જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા જૂના આવાસના એક મકાનમાંથી શ્રમિક યુવાનનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અંધાશ્રમ જૂનું આવાસ, બ્લોક નં. 37, રૂમ નં. 02માં ભાડેથી રહેતા દિલીપભાઈ ચમનભાઈ પોલરા (ઉ.વ. 57), મૂળ સોની સમાજના અને મજૂરી કામ કરતા હતા. તેઓ પોતાના રહેણાંક મકાનના રસોડામાં જમીન પર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીરની ચામડી ઉખડી ગયેલી તેમજ શરીર ફૂલી ગયેલી હાલતમાં જોવા મળ્યું હતું, જેના કારણે મૃત્યુને કેટલાક દિવસો વીતી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળે એકત્રિત થઈ ગયા હતા.

બનાવની જાણ મકાન માલિક કિશોરભાઈ વિરજીભાઈ વાડોલીયાએ પોલીસને કરી હતી. માહિતી મળતાં સીટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. હાલ પ્રાથમિક દૃષ્ટિએ કોઈ ગુનાહિત બાબત સામે આવી નથી, પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક સાધવાની તેમજ તેમના સ્વાસ્થ્ય અને અન્ય સંજોગોની માહિતી મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ ઘટના બાદ અંધાશ્રમ વિસ્તારના રહેવાસીઓમાં પણ ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ