જાહેરાત
તાજા સમાચાર
તમિલનાડુ સરકાર હવે માત્ર AC બસોની જ કરશે ખરીદી, CM વિજયનો મહત્વનો નિર્ણય | વિજરાખી ડેમ પાસે નશામાં ધૂત વેપારીની કાર પલટી: સદનસીબે જાનહાનિ ટળી, પંચકોશી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી | AI પર અતિનિર્ભરતા ફોર્ડને પડી ભારે: 350 નિવૃત્ત એન્જિનિયર્સને ફરી બોલાવવા પડ્યા, અનુભવથી સુધરી ગુણવત્તા | જામનગરના લીમડા લાઇનમાં મોબાઇલ શોપમાં ઘૂસી વેપારી પર હુમલો: CCTVના આધારે આરોપી ઝડપાયો, પોલીસની વધુ તપાસ શરૂ. | રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: ₹27 લાખના શંકાસ્પદ ખર્ચનું બિલ ફગાવાયું. | શહેરા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને મોટી રાહત: હવે દૈનિક ₹512 લઘુત્તમ વેતન મળશે, વર્ષોથી ચાલતો વેતનભેદ દૂર. | જામનગરમાં મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક: દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ. | મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટ બેઠક પૂર્ણ: ખેડૂતોના હિતમાં વીજ પોલ વળતર મુદ્દે મંત્રીઓ એકમત. | દરેડ GIDCમાં કરોડોની વ્યાપારી ઠગાઈનો પર્દાફાશ: કારખાનેદાર આનંદ મોઢવાડિયા રૂ. 4.44 કરોડની ચૂકવણી કર્યા વિના કારખાનું-ઘરને તાળું મારી ફરાર, વેપારીઓમાં દોડધામ. | ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ: હવે રાજ્યના 18 વર્ષ સુધીના દરેક બાળકને મળશે ‘હેલ્થ પાસપોર્ટ’. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામનગરમાં મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક: દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ.

જામનગરમાં મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક: દાનપેટી તોડી ₹15 હજારથી વધુની રોકડ ચોરી, CCTVના આધારે પોલીસ તપાસ શરૂ.

જામનગર શહેરમાં ધાર્મિક સ્થળોને પણ હવે તસ્કરો નિશાન બનાવી રહ્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના માધવબાગ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દાનપેટી તોડી અંદાજે ₹15 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, મોડીરાત્રે તસ્કરો મંદિરમાં ઘૂસી આવ્યા હતા અને મંદિર પરિસરમાં રાખવામાં આવેલી દાનપેટીને તોડી તેમાં રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. સવારે મંદિરના પૂજારી અને સેવકો જ્યારે નિયમિત પૂજા-અર્ચના માટે પહોંચ્યા ત્યારે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ મંદિર ટ્રસ્ટીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ખાસ નોંધનીય બાબત એ છે કે આ જ મહાદેવ મંદિરમાં અગાઉ પણ એક વખત ચોરીની ઘટના બની ચૂકી છે. ફરી એકવાર મંદિરને જ નિશાન બનાવવામાં આવતા સ્થાનિકોમાં પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની તેમજ આવા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચોરીની સમગ્ર ઘટના મંદિર ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ દાનપેટી સાથે ચેડાં કરતો અને બાદમાં રોકડ રકમ લઈને ભાગતો નજરે પડે છે. પોલીસે આ ફૂટેજ પોતાના કબજામાં લઈ આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસી રહી છે. અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા તસ્કરોની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે, જેથી આરોપીઓને ઝડપી શકાય.

સ્થાનિક રહિશો અને શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ધાર્મિક સ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે અને આવા સ્થળોએ વારંવાર ચોરીની ઘટનાઓ બનવી ગંભીર બાબત છે. તેમણે મંદિરોમાં રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા વ્યવસ્થા, નિયમિત પોલીસ પેટ્રોલિંગ અને આધુનિક સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

હાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે અને પોલીસને ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ