જાહેરાત
તાજા સમાચાર
આજનો ઈતિહાસ : 24 ઓગસ્ટ | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૧૬ | દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૪૯ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું ગુજરાત કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક જ પરિવારની બે માસૂમ બહેનોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, મોટી ઝડુલી ગામમાં કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં એક સ્થળે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન રમતાં રમતાં બે નાની બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.

મૃતક બાળકીઓની ઓળખ નીરુમતિબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 4.5 વર્ષ) અને મીનાક્ષીબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 3.5 વર્ષ) તરીકે થઈ છે. બંને મોટી ઝડુલી ગામના બુધારીયાભાઈ વેચાણભાઈ ભીલની દીકરીઓ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા પાણી ભરાયેલા જોખમી સ્થળોની સમયસર સુરક્ષા અને લીકેજની તાત્કાલિક મરામત માટે જવાબદાર તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ