જાહેરાત
તાજા સમાચાર
અલ-નીનોની ચેતવણી: વિશ્વમાં ગરમી, દુષ્કાળ અને અતિવૃષ્ટિનું જોખમ વધશે, ભારતના ચોમાસા અને કૃષિ પર પણ પડી શકે છે મોટી અસર. | ભારત માટે રાહતના સમાચાર: હોર્મુઝ માર્ગે યુરિયા અને DAP ખાતરથી ભરેલા 15 જહાજો રવાના, ખાતરની અછતનો ખતરો ટળ્યો. | શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર: 4 જેલ ગાર્ડ સહિત 23ના મોત, 100થી વધુ ઘાયલ. | ભાણવડના વેરાડી-2 સિંચાઈ યોજના વિસ્તારમાં ચોરીના બનાવોથી ખેડૂતોમાં ફફડાટ: મોટર, કેબલ અને સ્ટાર્ટરની ચોરી અંગે પોલીસમાં અરજી. | કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ. | વિસાવદરમાં 'ડો. ફુલેત્રા સેવા સંકલ્પ હોસ્પિટલ'નો ભવ્ય પ્રારંભ: 14 વર્ષના અનુભવી તબીબ હવે ખાનગી હોસ્પિટલથી આપશે આરોગ્ય સેવા. | વિસાવદરમાં PGVCLની અસરકારક કાનૂની કાર્યવાહી: એક જ દિવસમાં દોઢ લાખ રૂપિયાની બાકી વસૂલાત, નોટિસ મળતાં જ ગ્રાહકોએ ભરપાઈ કરી. | દુઃખની ઘડીએ માનવતાનો હાથ: વિસાવદરના નગરસેવક નિલેશ દવેની સંવેદનશીલ કામગીરી ચર્ચામાં. | વિસાવદરમાં વીજતંત્રની ‘લોલમલોલ’ નીતિનો આક્ષેપ: પાંચ દિવસથી ફીડર બંધ, લોકો સાથે અબોલ પશુઓ પણ પાણી વિના તરસ્યા. | કલ્યાણપુરના રાણ ગામના યુવાન પર ત્રણ શખ્સનો પાઇપ અને ધોકાથી હુમલો,લેવાના રૂ. 6 લાખ માંગતા જ હુમલો: |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૬ વાર જોવાયેલ 51 મિનિટ પેહલા

મારું ગુજરાત કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ તાલુકામાં કરુણ ઘટના: લીકેજના પાણીમાં ડૂબી બે માસૂમ બહેનોના મોત, પરિવારમાં શોકનો માહોલ.

કવાંટ: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક જ પરિવારની બે માસૂમ બહેનોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, મોટી ઝડુલી ગામમાં કુપ્પા પાણી પૂરવઠા યોજનાની પાઇપલાઇનમાં લીકેજ થતાં એક સ્થળે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન રમતાં રમતાં બે નાની બાળકીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.

મૃતક બાળકીઓની ઓળખ નીરુમતિબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 4.5 વર્ષ) અને મીનાક્ષીબેન બુધારીયાભાઈ ભીલ (ઉંમર આશરે 3.5 વર્ષ) તરીકે થઈ છે. બંને મોટી ઝડુલી ગામના બુધારીયાભાઈ વેચાણભાઈ ભીલની દીકરીઓ હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો દ્વારા પાણી ભરાયેલા જોખમી સ્થળોની સમયસર સુરક્ષા અને લીકેજની તાત્કાલિક મરામત માટે જવાબદાર તંત્ર સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ