જાહેરાત
તાજા સમાચાર
દ્વારકા જગતમંદિરમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો: લાઈનમાં ઉભા રહેવા સમજાવતા સુરતના પાંચ દર્શનાર્થીઓ સામે ગુનો નોંધાયો. | ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. | ખંભાળિયાના ગોઈંજ ગામે મંદિરના પટાંગણમાં ગાંજાનું વાવેતર ઝડપાયું: શાકભાજીના વેપારીની અટકાયત, NDPS હેઠળ ગુનો નોંધાયો. | ઓપરેશન ‘મ્યુલ હન્ટ 2.0’નો મોટો ધડાકો: રાધનપુર પોલીસે રૂ. 196 કરોડના સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો, બેંક ખાતા ભાડે આપવાના રેકેટનો ભાંડો ફોડાયો. | ડૉક્ટર ડે પર ITRA જામનગરની અનોખી પહેલ: વૈદ્યો અને નવા પી.એચ.ડી. વિદ્યાર્થીઓએ મળીને કર્યું 40 લીમડાના વૃક્ષોનું રોપણ. | શેરબજારમાં તેજીનો કરંટ: સેન્સેક્સ 150 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,900ની નજીક; ઓટો અને મીડિયા શેરોમાં ખરીદીનો માહોલ. | ખાનગી કંપની નાયરા એનર્જીની મોટી જાહેરાત: પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર સસ્તું, સરકારી કંપનીઓએ હજુ સુધી ભાવમાં કર્યો નથી ઘટાડો. | આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો: તેલ કંપનીઓએ સરેરાશ ₹180થી વધુનો ઘટાડો કર્યો, ઘરગથ્થુ એલપીજીના ભાવ યથાવત. | કારપેટના રોલની આડમાં કરોડો રૂપિયાના ઇંગ્લિશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ: રાજકોટ રેન્જ પોલીસે 28 લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા. | તા. ૧ જુલાઈ, બુધવારનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ દ્વારકા જગતમંદિરમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો: લાઈનમાં ઉભા રહેવા સમજાવતા સુરતના પાંચ દર્શનાર્થીઓ સામે ગુનો નોંધાયો.

દ્વારકા જગતમંદિરમાં મહિલા પોલીસ કર્મચારી પર હુમલો: લાઈનમાં ઉભા રહેવા સમજાવતા સુરતના પાંચ દર્શનાર્થીઓ સામે ગુનો નોંધાયો.

વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં પૂર્ણિમાના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જાળવી રહેલી મહિલા પોલીસ કર્મચારી પર હુમલો થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને નિયમ મુજબ લાઈનમાં ઉભા રહેવા સમજાવતા સુરતથી આવેલા પાંચ દર્શનાર્થીઓએ મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી, વાળ ખેંચી મારકૂટ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા બે મહિલા સહિત પાંચેય આરોપીઓ સામે સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પૂર્ણિમાના પવિત્ર અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા અને દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે મંદિર પરિસરમાં મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓની ખાસ ફરજ ગોઠવવામાં આવી હતી.

તે દરમિયાન મહિલા પોલીસ કર્મચારી સેજલબેન જેસીંગભાઈ રાઠોડ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દર્શન માટે ઉભેલી લાઈનમાં કેટલાક દર્શનાર્થીઓ નિયમોનો ભંગ કરીને આગળ જવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમણે ધ્યાનમાં આવતા તેમને નિયમ મુજબ લાઈનમાં રહેવા સમજાવ્યા હતા.

આ બાબતે કેટલાક દર્શનાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ હતી. ફરિયાદ મુજબ ત્રણ મહિલાઓએ મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી, તેમના વાળ ખેંચી મારકૂટ કરી હતી. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટના દરમિયાન હાજર રહેલા બે પુરુષોએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોબાળો વધતા નજીકમાં ફરજ પર રહેલા અન્ય પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તમામને મંદિર પોલીસ ચોકી ખાતે લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ સુરત શહેરના રહેવાસીઓ તરીકે થઈ હતી. પોલીસે હેમેશ્વરી અનિલભાઈ પાટીલ, સીમાબેન ત્રિભુવનદાસ દેવરે, સંગીતાબેન અનિલભાઈ પાટીલ, ચેતનભાઈ અનિલભાઈ પાટીલ અને અજય મનોહર વાઘ સામે ગુનો નોંધ્યો છે.

હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી મહિલા પોલીસ કર્મચારી સેજલબેન રાઠોડને સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પાંચેય આરોપીઓ સામે મારામારી, સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર ઘટનાક્રમની પુષ્ટિ થઈ શકે.

દ્વારકાધીશ મંદિર વર્ષભર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને પૂર્ણિમા, જન્માષ્ટમી સહિતના વિશેષ તહેવારો દરમિયાન અહીં ભારે ભીડ ઉમટતી હોય છે. આવી સ્થિતિમાં પોલીસ અને મંદિર પ્રશાસન દ્વારા દર્શન વ્યવસ્થા જાળવવા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જાહેર સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ગેરવર્તન અથવા હુમલો કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ બનાવ બાદ દ્વારકા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેસમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ