જાહેરાત
તાજા સમાચાર
ગિરનારમાં સિંહ હુમલા બાદ સરકારનું એક્શન, કાયમી ચેકપોસ્ટ, સાઇલન્સ ઝોન અને થર્મલ ડ્રોનથી થશે દેખરેખ | ભારતીય મૂળના નાસા એસ્ટ્રોનોટ અનિલ મેનન આજે પ્રથમ અંતરિક્ષ મિશન પર રવાના, આઠ મહિના ISSમાં કરશે સંશોધન | સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક, સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં કમિશનર પર લગાવ્યા ગંભીર આક્ષેપ | નીલકંઠ મહાદેવથી રાધાકૃષ્ણ મંદિર માર્ગ પર ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, એક મહિનાથી ગંદકી અને દુર્ગંધનો ત્રાસ | CBSEનો મોટો નિર્ણય: ધોરણ 9-10માં ત્રીજી ભાષાનું આંતરિક મૂલ્યાંકન ફરજિયાત, પાસ થયા બાદ જ મળશે 10મું પાસિંગ સર્ટિફિકેટ | ભોજશાળા-કમલ મૌલા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ, સંકુલમાં નમાઝને મંજૂરી નહીં | સંગીતકાર પ્યારેલાલની પત્ની સુનીલા શર્માનું 78 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકની લાગણી | રામ મંદિર દાન વિવાદ વચ્ચે વકફ સંપત્તિ તપાસની માંગ, મૌલાના શહાબુદ્દીન રઝવીનું નિવેદન ચર્ચામાં | દેવભૂમિ દ્વારકામાં આજે પહોંચશે કોંગ્રેસની કિશાન અધિકાર યાત્રા, 500 કિમીની પદયાત્રાનો થશે સમાપન | જામનગરમાં ‘નિપુણ ગુજરાત એપ્લિકેશન’નું લોન્ચિંગ: 13 હજારથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવત્તા વધારવા ડિજિટલ પહેલ |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૩૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટૉપ ન્યૂઝ દેવભૂમિ દ્વારકામાં આજે પહોંચશે કોંગ્રેસની કિશાન અધિકાર યાત્રા, 500 કિમીની પદયાત્રાનો થશે સમાપન

દેવભૂમિ દ્વારકામાં આજે પહોંચશે કોંગ્રેસની કિશાન અધિકાર યાત્રા, 500 કિમીની પદયાત્રાનો થશે સમાપન

કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવા અને સરકાર સમક્ષ તેમની માંગણીઓ પહોંચાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી કિશાન અધિકાર યાત્રા આજે તેના 19મા દિવસે દેવભૂમિ દ્વારકા પહોંચશે. કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામથી પ્રારંભ થયેલી આ યાત્રાએ અંદાજે 500 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકામાં પ્રવેશ કરશે. યાત્રા દરમિયાન કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામો અને શહેરોમાં ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ તેમની સમસ્યાઓ અને માંગણીઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ કિશાન અધિકાર યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની ખેતી અને જીવન સાથે જોડાયેલા પ્રશ્નોમાં ન્યાય મળે તેમજ સરકાર તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવે તે છે. યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતો સાથે બેઠકો યોજી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને સરકાર સુધી આ અવાજ પહોંચાડવાની ખાતરી આપવામાં આવી હતી.

આ યાત્રામાં ખેડૂતોની અનેક મહત્વપૂર્ણ માંગણીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં ખેતી પેદાશોને પોષણક્ષમ ભાવ મળે, સમયસર અને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, ખેડૂતોને નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળે, ઊર્જા કંપનીઓ દ્વારા થતી દાદાગીરીનો અંત આવે, તેમજ કુદરતી આફતોના સમયમાં ખેડૂતોને પાક વીમાનો યોગ્ય લાભ મળે જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોની આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે.

દ્વારકા પહોંચનારી આ કિશાન અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો તેમજ કોંગ્રેસના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના અગ્રણી નેતાઓ જોડાશે. યાત્રા દ્વારકાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે, જ્યાં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. યાત્રા દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અને કૃષિ સંબંધિત મુદ્દાઓ અંગે જનજાગૃતિનો પણ પ્રયાસ કરવામાં આવશે.

યાત્રાનો સમાપન કાર્યક્રમ દ્વારકાધીશ જગત મંદિર ખાતે યોજાશે. અહીં યાત્રામાં જોડાયેલા આગેવાનો અને ખેડૂતો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે અને ભગવાન દ્વારકાધીશ સમક્ષ ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય, ખેતી સમૃદ્ધ બને અને અન્નદાતાને ન્યાય મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. આ સાથે 19 દિવસની અને અંદાજે 500 કિલોમીટર લાંબી કિશાન અધિકાર યાત્રાનું ઔપચારિક સમાપન થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ