મારું ગુજરાત તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ
ગીર સોમનાથ જિલ્લાના 91-તાલાલા-સુત્રાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના નવા જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ ભવ્ય કાર્યક્રમ વચ્ચે સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં વિસ્તારના અનેક આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ નવા જનસંપર્ક કાર્યાલયથી વિસ્તારના નાગરિકોને વધુ સરળતાથી લોકપ્રતિનિધિ સુધી પહોંચવાની સુવિધા મળશે અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પણ ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, સમાજના અગ્રણી લોકો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના નારાઓ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે યોજાયો હતો.
રિપોર્ટર : જગદીશ આહીર