જાહેરાત
તાજા સમાચાર
ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૧ વાર જોવાયેલ 2 મહિના પેહલા

મારું શહેર ભોગાતમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો: પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી.

ભોગાતમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો: પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી.

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં દુધાળા પશુઓના આરોગ્યને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનોના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ થયો છે. જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને 275 પ્રતિબંધિત ઇન્જેક્શન કબજે કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 27,500 હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ એસ.ઓ.જી.ની પેટ્રોલિંગ ટીમને ભોગાત ગામમાં આવેલી "બંસી ટ્રેડર્સ" નામની કરિયાણાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનોનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી પશુઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાતા અને પ્રાણી કલ્યાણના નિયમો હેઠળ પ્રતિબંધિત ગણાતા ઇન્જેક્શનોનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી 275 ઇન્જેક્શન કબજે કરીને કુલ રૂ. 27,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે દુકાન સંચાલક ભરતભાઈ આલાભાઈ વરૂ વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

પશુચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા ઇન્જેક્શનોનો ઉપયોગ પશુઓ પાસેથી વધુ દૂધ મેળવવાના હેતુથી કરવામાં આવે છે, પરંતુ તેના કારણે પશુઓને ગંભીર શારીરિક પીડા સહન કરવી પડે છે. લાંબા ગાળે પશુઓના આરોગ્ય પર પણ તેની ગંભીર અસર પડે છે. એટલું જ નહીં, આવા પશુઓનું દૂધ માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.

આ કાર્યવાહી દ્વારા દેવભૂમિ દ્વારકા પોલીસ અને એસ.ઓ.જી.એ પશુ કલ્યાણ પ્રત્યે પોતાની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે. પશુઓ પર થતી ક્રૂરતા અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસે પશુપાલકો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે તેઓ વધુ નફાની લાલચમાં આવી આવા પ્રતિબંધિત ઇન્જેક્શનોનો ઉપયોગ કે વેચાણ ન કરે, અન્યથા કડક કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ઇન્જેક્શનનો સપ્લાય ક્યાંથી થતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ