જાહેરાત
તાજા સમાચાર
ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા.

કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા.

કેશોદના કેવદ્રા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે કાર્યવાહી કરી છ શખ્સોને ઝડપી પાડ્યા છે. કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાધલીયાની સૂચના અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુગાર તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન એએસઆઈ પી.એમ. બાબરીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ બાબરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ પરમાર, ભરતસિંહ સિસોદિયા, સુરેશભાઈ ભંભાણા અને વિમલભાઈ ડોબરીયા પેટ્રોલિંગમાં હતા. પોલીસને કેવદ્રા ગામે પ્રવિણભાઈ ખાણીયાના મકાનના ખુલ્લા ફળીયામાં કેટલાક શખ્સો રૂપિયા-પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.

 

પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં રમેશભાઈ દેવશીભાઈ મકવાણા (ઉં.વ. ૪૩), ભીખાભાઈ હમીરભાઈ ખાણીયા (ઉં.વ. ૬૩), દિલીપકુમાર કાનજીભાઈ ખાણીયા (ઉં.વ. ૩૪), રમેશભાઈ વિરજીભાઈ ખાણીયા (ઉં.વ. ૩૫), સુરેશભાઈ જમનભાઈ ખાણીયા (ઉં.વ. ૩૬) અને ભગવાનજીભાઈ જીવણભાઈ ખાણીયા (ઉં.વ. ૪૯), તમામ રહે. કેવદ્રા, હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામને રૂપિયા ૪,૧૪૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ મામલે કેશોદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી એએસઆઈ પી.એમ. બાબરીયા દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે પંચોની હાજરીમાં પકડાયેલા શખ્સોની અંગજડતી લેતા તેમની પાસેથી મોબાઈલ ફોન કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ બાબતને લઈને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર શોભના બાલાષ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ