ટૉપ ન્યૂઝ જામનગરમાં ફાયર વિભાગનો 101 નંબર બંધ, ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબરો જાહેર
જામનગર શહેરમાં ફાયર વિભાગના હેલ્પલાઈન અને 101 નંબર ટેકનિકલ ખામીના કારણે હાલ બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આગ, અકસ્માત અથવા અન્ય કોઈપણ પ્રકારની ફાયર ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિકોને હાલ 101 નંબર પર સંપર્ક ન કરવા અને નીચે આપેલા વૈકલ્પિક નંબરો પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
ઈમરજન્સી માટે વૈકલ્પિક નંબર
ફાયર કંટ્રોલ રૂમ – લાલબંગલો
- 112
- 9409402369
- 9409420867
ઈન્દિરા માર્ગ ફાયર સ્ટેશન
- 0288-2710411
બેડેશ્વર ફાયર સ્ટેશન
- 0288-2755369
ફાયર વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી કોઈપણ આગની ઘટના કે અન્ય ફાયર ઈમરજન્સી માટે ઉપરોક્ત વૈકલ્પિક નંબરોનો ઉપયોગ કરે. ઈમરજન્સીની સ્થિતિમાં સમયસર જાણ થાય તે માટે આ નંબરો સાચવી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.